SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪t શ્રાવક ધર્મ સ્વ. દૃષ્ટિથી સાધુઓમાં ગમે તે દોષે જોયા કરે છે. અમુક સાધુ તે પાખંડી છે. અમુક સાધુ તો ધર્ત છે, અમુક સાધુને તે વજન પણ ન કરવું જોઈએ, અમુક સાધુ તે ક્રિયા કરતું નથી, અમુક સાધુ તો ઉદ્ધત છે; એમ જ્યાં ત્યાં પિતાના સંબંધી મનુષ્યની આગળ તેવા શક્ય જેવા શ્રાવકો લાવ્યા કરે છે. શોક્ય જેવા શ્રાવકો ભદ્રક સાધુઓની પાસે બેસીને આડી અવળી વાતે કરીને પછી તે સાધુની પુંઠ પાછળ ફજેતી કરે છે. સાધુ વર્ગને નાશ થાય તવા માર્ગોને હાથમાં ધરે છે. સાધુઓને અપમાન ભરેલા શબથી બોલાવે છે. સાધુઓના છતા વા અછતા દેષોને તે કહે છે. સાધુવ પર અરૂચિ થાય, અને પિતાનું ધાર્યું થાય તેવું ગુપ્ત તત્ર રચવાને પણ ચુકતા નથી. કુળાચારથી ઉપર ઉપરથી સાધુને વિનય કદાપિ સાચવે છે, પણ તેવા શકય જેવા શ્રાવકે સાધુનું મૂળમાંથી ખોદી કાઢે છે, માટે તેવા શ્રાવકે અયોગ્ય જાણવા. ગુરૂ મહારાજે ઉપદેશેલો સૂવાર્ય જેના મનમાં તાદશભાવે પરિણામે તે આરીસા સમાન સુશ્રાવકે શાસ્ત્રમાં કહ્યા છે. . પવનથી ધ્વજ જેમ આડીઅવળી હાલ્યા કરે છે. પણ સ્થિર રહેતી નથી, તેની પેઠે જે શ્રાવકો અન્ય કુબુદ્ધિધારાના ભમાવ્યાથી ભમી જાય, ઘડીમાં ગુરૂના વચનપર શ્રદ્ધાવાળો થાય, અને ઘડીમાં કોઈ ભમાવે તો ભમી જાય, અને મનમાં નાસ્તિક બની જાય, ઘડીમાં હા જી હા કરે અને ગુરૂનું કહેવું માની લે, અને ઘડીમાં કઈ તેને ભમાવે તે તેનું કહ્યું પણ મૂર્ખ સાચું માને; પણ ગુરૂના ઉપર પૂર્ણ વિશ્વાસ ધારણ કરે નહીં. તેવા શ્રાવક પતાકા સમાન જાણવા. એવા શ્રાવકે પ્રાયઃ મૂઢ હોય છે, પિતાની બુદ્ધિથી કાંઈ પણ સત્યને નિશ્ચય કરતા નથી, તેવા શ્રાવકે શૂન્ય હૃદયના હોય છે. અલ્પ બુદ્ધિવાળા હોવાથી તેઓ ગમે તેવા આડે રસ્તે ચડી જાય છે, એવા મૂઢ શ્રાવકે લક્ષ્મીવંત હોય તોપણ તેઓ ધર્મ બુદ્ધિમાં ન્યુન હોવાથી ગાડરીયા પ્રવાહની પેઠે હા જી હા કરનારા હોય છે; તેવા શ્રાવકા મિથ્યાત્વીઓના પાશમાં કદાપિ ફસાઈ જાય છે. પિતાની બુદ્ધિથી તેવા શ્રાવકો સત્યતત્ત્વનો નિશ્ચય કરી શકતા નથી. પ્રાયઃ તેવા શ્રાવકો મૂઢ હેવાથી ગુરૂઓના ઉપદેશનો સૂમસાર સમજવાને માટે પણ લાયક બનતા નથી. તેવા મૂઢ શ્રાવ પિતાનું કર્તવ્ય કર્મ સમજવાને માટે આધકારી બની શકતા નથી. તેમજ તેવા મૂઢ શ્રાવ–સુગુરૂ અને કુગુરૂને ભેટ પણ સમજી શકતા નથી. તેવા મૂઢ શ્રાવ મનની ચંચળતાના લીધે ધર્મતત્તવમાં સ્થિર રહેતા નથી. તેમજ ગુરૂપર પૂર્ણ શ્રદ્ધા ધારણ કરવાને માટે પણ પૂર્ણ અધિકારી બનતા નથી. મૂઢ શ્રાવકની ધર્મ સંબધી શ્રદ્ધા કયાં સુધી સ્થિર રહેશે તેને પણ નિશ્ચય થતો નથી. તેવા મૂઢ શ્રાવક શ્રીગુરૂના ઉપષ્ણના પરમાર્થને પૂર્ણપણે પરખવા For Private And Personal Use Only
SR No.008680
Book TitleVachanamrut
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy