SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વચનામૃત. નિત્ય શાશ્વત અને પુરાણુ છે) ઇત્યાદિ વા સમીચીન નથી, કારણ કે એકાંતે કરી માનવાથી. હવે તે સંબંધી સમીક્ષા એકાંતે કરી આત્મા મહાન પણ કહી શકાતું નથી કારણ કે જે મહાનરૂપે હોય છે, તેની માતા થઈ શકતી નથી. અને પ્રત્યક્ષ જીવેમાં અપહૃતા આદિ વિચિત્ર ભાસે છે. તેથી એકોતે આત્મા મહાન પણ કહી શકાય નહી. નિશ્ચયન કરી જેમાં આત્મા અજ છે. તેને ઉત્પન્ન કરનાર કોઈ નથી. બ્રહ્મમાંથી જીવ ઉત્પન્ન થાય છે, એમ પણ માની શકાય નહીં. કેટલાક આમાનો બનાવનાર ઈશ્વર માને છે. પણ તે અયુક્ત છે. કારણ કે ઈશ્વરને કંઈ જીવને બનાવવાનું પ્રયોજન નથી. નિત્ય એવા ઈશ્વરથી છત્પતિ થઈ શકે નહીં. જીવ કાગે અન્ય દેહને ધારણ કરે છે, તેની અપેક્ષાએ આત્મા જુદા જુદા શરીરાકારે ઉત્પન્ન થયે એમ કહેવાય છે. એ પ્રત્યક્ષ અનુભવ સિદ્ધ છે. મન આપદ નિશ્ચયનયની અપેક્ષાએ આત્માના શુદ્ધ સ્વરૂપને આઘષ કરે છે. અજર અમર અભય આ દરેક ક્યાવન પેચા ર બ બેધે છે. બ્રહ્મ આ શબ્દ જ્ઞાનને આષ કરે છે. જ્ઞાન થકી અતિરિકત આત્મા નથી. કારણ કે જ્ઞાન એ આત્માને ગુણ છે. ગુણીને છેડી ગુણ અન્ય રહેતો નથી. જ્ઞાન ગુણથી આત્માગુણ સિદ્ધ થાય છે. આત્મા જન્મતું નથી કે મરતો નથી. આ વાક્ય પણ એકાંતેકરી માનવામાં આવે તો ભવ ભ્રમણ હેતુભૂત છે. પ્રાણુના સંયોગ અને વિયોગે કરી પ્રત્યક્ષ અનુભવાતાં જન્મ મરણને આત્મા કરતો નથી તે બીજો કોણ કરે છે, તે બતાવો; હું જ , હું ભરું છું આ શબ્દનું ઉચ્ચારણ આત્મા કરે છે. માટે જ્યાં સુધી કર્મવડે કરી સંયુક્ત આત્મા છે, ત્યાં સુધી પોતે જન્મ મરણ કરે છે, અને તે ઉપર કહેલા લોકોથી જન્મ મરણની સિદ્ધિ થાય છે. જ્યાં સુધી જીવને કર્મ લાગ્યાં છે, ત્યાંસુધી તે જન્મ મરણ ધારણ કરવાને જ. સંસારી છોને જન્મ મરણ ધારણ કરવાના છે. સંસારી જીવને જન્મ મરણ થયા કરે છે, અને જ્યારે આત્મા કર્મ રહિત થઈ શાશ્વત પદ પામે છે, ત્યારે જન્મ અને મૃત્યુ પામતો નથી, એમ અર્થ કરવામાં આવે તો તે સત્ય છે. આમ અર્થ કર્યા વિના તે વચને અસત્ય સમજવો.જીવ એકાંતે નિત્ય પણ નથી, કારણ કે એકાંતે નિત્ય આત્માને બંધ મોક્ષનો સર્ભાવ ઘટતું નથી. અને બધ મોક્ષ તે આત્માને છે.—માટે નિત્યનિત્ય આત્મા છે એમ માનો યુક્ત છે. અને તે પ્રમાણે શ્રી સર્વજી મહારાજા કહે છે; તે સત્ય છે. વળી કેટલાક જે માને છે તે બતાવે છે. જે રામાપાત્રચારિત રત્નતિસેવ તે સર્વે નછસિ (જે કોઈ આ લોકમાંથી જાય છે, તે ચંદ્રમામાં જ જાય છે.) For Private And Personal Use Only
SR No.008680
Book TitleVachanamrut
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy