SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુણાનુરાગ ૨૮૭ ધર્મ અર્થ અને કામને પરસ્પર હાનિ ન થાય, તેવી રીતે જે વસે તે મધ્યમ પુરૂષ ગણાય છે. સ્ત્રીઓનું તે પ્રમાણે સમજી લેવાય. પૂર્વોક્ત ઉત્તમ પુરૂષને બહુમાનથી થતાં ફળ. एएसिं पुरिसाणं, जइ गुणगहणं करेसि बहुमाणं; तो आसन्नासिवसुहो, होसि तुमं नथ्थि संदेहो. ॥२२॥ ભાવાથ–એ ચાર પ્રકારના મનુષ્યનું બહુમાન કરીશ, તેમજ તેએના ચુણેનું ગ્રહણ કરીશ તો હે આત્મન ! અલ્પકાળમાં તું મોક્ષનાં સુખને ભોક્તા બનીશ, એમાં સંદેહ નથી. બ્રહ્મચર્ય વ્રતનું દૃષ્ટાંત આપી પુરૂ નું વર્ણન કર્યું, તેથી ઉપલક્ષણદ્વારા અન્ય વ્રતો અને ક્ષમાદિ અન્ય ગુણોનું પણ ગ્રહણ કરવું, તથા તેઓના ગુણોનું બહુ માન કરવું. અહે! જગતમાં સાધુઓ તથા સાધ્વીઓને ધન્ય છે કે જે પરોપકારને માટે જીવનને ગાળે છે. શ્રાવક અને શ્રાવિકાઓ ગુણાનુરાગથી એમ ચિંતવે કે અહો! આપણે છકાયને કટ કરીએ છીએ, આરંભ કરીએ છીએ. માટે આપણાથી સાધુ અને સાધ્વીઓ અનંતગુણ ઉચ્ચ છે, આત્મભોગ આપીને ગૃહસ્થને ઉપદેશ આપે છે, દુઃખ વેઠીને પણ ગામે ગામ વિહાર કરે છે, કરૂણાબુદ્ધિથી ગૃહસ્થને સાધુ વ્રતો અર્પે છે, પુસ્તકો લખાવી સુધારે છે, ગામોગામ ધર્મનું વર્ણન કરે છે, સાધુ અને સાધ્વીએ જ્ઞાન અર્પી અજ્ઞાનનો નાશ કરે છે. બાહ્યગ્રતો પણ એવાં છે કે તે સ્વપર હિતસાધક છે. તે વ્રતનું મહારામાં કંઈ ઠેકાણું નથી. સાધુ અને સાધ્વીની નિંદા કરવાથી ખરેખર પરભવમાં સાધુપણું પ્રાપ્ત થનાર નથી; ઉચ્ચ દયાદિ ગુણ મળનાર નથી. એમ સમજીને શ્રાવક અને શ્રાવિકાઓ નિંદા કરવાની ટેવ દૂર કરે છે. નિંદા દોષને વારનાર મુક્તિ પામે એમાં સંદેહ નથી. કતા-પાસસ્થાદિકની પણ નિંદાને ત્યાગ બતાવે છે. पासथ्याइसु अहुणा, संजमसिढिलेसु मुक्कजोगेस; नो गरिहा कायव्वा, नेव पसंसा सहामजे. ॥२३॥ ભાવાર્થ-હાલમાં ચારિત્રયોગ પાળવામાં શિથિલ થઈ ગયેલાઓની પણ સભામાં નિંદા વા પ્રશંસા કરવી યોગ્ય નથી. તાત્પર્યાર્થ કે તેવાઓના સંબંધમાં મધ્યસ્થ ભાવ ધારણ કરે. જેઓએ ચઢતે ભાવે ચારિત્ર લીધું હેય પણ કર્મના ઉદયથી પાછા પડી જઈ પંચમહાવ્રતમાં દોષ લગાથા હેય, બ્રહ્મચર્યને ભંગ કર્યો હોય, જુઠું બોલતા હોય, આત્મસમાધિમાં For Private And Personal Use Only
SR No.008680
Book TitleVachanamrut
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy