SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૦ ગુણુનુરાગ. ભાવાર્થ-અરે આત્મન ! જે તે ગુણીજનેના લેશ માત્ર દેષને ઇર્ષાથી કહીશ તો ખરેખર અપાર એવા સંસારમાં પરિભ્રમણ કરીશ. ઈર્ષ્યાથી અંધ બનેલા પુરૂષો ઘુવડની પેઠે જ્યાંત્યાં સદ્ગુણરૂપ સૂર્યને દેખ્યા વિના પરિભ્રમણ કરે છે; સજજન પુરૂષોની અંદર સરસવ જેટલે દોષ હોય તો મેરૂ પર્વત જેટલો કહી બતાવે છે અને ઈર્ષાળુઓ અછતાં આળ પણ ગુણીજને પર મુકવા અચકાતા નથી. ગુણી પુરૂષોના ગુણ દેખવાને ઈર્ષાળુઓની સગુણ દૃષ્ટિ બંધ થયેલી હોય છે. ધતુર ભક્ષકની પેઠે તેઓ ગુણોને પણ વિપરીતપણે દેખ્યા કરે છે. ઈર્ષાળુઓ કોઈની પ્રશંસા સાંભળે છે તે તે ઉપર લક્ષ. નહિ રાખતાં, સામા પુરૂષોની અંદર કયા દુર્ગુણો છે તે જ જોવામાં ધ્યાન રાખ્યા કરે છે. સમકાતિજીવ પરના સદ્ગુણે જોવામાં જ દષ્ટિ રાખે છે, ત્યારે તેઓ (ઈર્ષાળુઓ) પરના અવગુણો દેખવામાં દષ્ટિ રાખે છે. જેમ કાગડો ચાંદાં દેખે છે તેમ ઈર્ષ્યાળુ પારકા અવગુણ દેખે છે. ઈર્ષાબળથી અંધ બનેલો પુરૂષ અનેક અવગુણોને ધારણ કરતો છતો તથા અષ્ટકર્મોની વગણને ગ્રહણ કરતે છેક રાશી લાખ જીવનમાં પરિભ્રમણ કરે છે. ગુણ કે દોષ એ બેમાંથી જેને અભ્યાસ થાય તે - પરભવમાં પ્રાપ્ત થાય છે. जं अब्भसेई जीवो, गुणं च दोषं च इत्थ जम्मंमि; तं परलोए पावइ, अभ्भासेणं पुणो तेणं. ॥८॥ ભાવાર્થ–આત્મા આ ભવમાં ગુણ કે દોષ એ બેમાંથી જેને અભ્યાસ કરી શકે છે તે પરલોકમાં પામે છે; જે આ ભવમાં સદ્ગુણેને વિશેષ અભ્યાસ કરવામાં આવે છે તે પરભવમાં વિશેષતઃ સગુણે ખીલી શકે છે અને દેને વિશેષતઃ સેવવામાં આવે છે તે પરભવમાં દોષોજ પ્રગટે છે. જે પ્રકારના ગુણને અભ્યાસ કરવામાં આવે છે તે પ્રકારનો ગુણ પ્રકટી શકે છે. એક મનુષ્ય આ ભવમાં ધૈર્ય અને વિનય એ બે ગુણને વિશેષ અભ્યાસ કરતે હોય અને કંજુસાઇ દેષને સેવતા હોય તે પરભવમાં અવતાર લેતાં તેનામાં વૈર્ય અને વિનય ગુણ પ્રગટે છે, પણ કંજુસાઈ હૃદયમાં આવે છે. કોઈ મનુષ્ય આ ભવમાં દયાવંત હોય અને લોભદેષનું વિશેષતઃ સેવન કરતો હોય, તે પરભવમાં દયાવંત થાય છે, પણું લોભી વિશેષ દેખવામાં આવે છે. કોઈ આ ભવમાં પરોપકારી વિ. શેષતઃ હેય પણ મૈથુનની ઇચ્છા વિશેષ હોય, તો પરભવમાં (અવતાર For Private And Personal Use Only
SR No.008680
Book TitleVachanamrut
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy