SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्रीमद् बुद्धिसागरजी कृत गुणानुराग ग्रन्थनुं विवेचन. ગુણાનુરાગથી થનાર તીર્થંકરને મંગલાચરણમાં નમસ્કાર કરે છે. सयल कल्लाण निलयं, नमिजणं तित्थनाह पयकमलं; परगुणगहणसरूवं भणामि सोहग्ग सिरि जणयं. 113 11 સકલ કલ્યાણુના આશ્રયરૂપ, તીર્થનાથ ભગવાનના પદ્મકમલને નમસ્કાર કરીને સાભાગ્ય લક્ષ્મીને આપનાર પરગુણુ ગ્રહણુસ્વરૂપને કહું છું-તીર્થંકર ભગવાનના આત્માએ પૂર્વ જન્મામાં પરગુણાના સામી દ્રષ્ટિ કરી હતી. પરના અવગુણા દેખતાં અને જાણુતાં છતાં પણ કોઇની આગળ તે પ્રકાશ્યા નહાતા. તેમ કરવાથી પેાતાને તથા પરને કઈ લાભ નથી, તેમ ભગવાનના આત્માએ પૂર્વ ભવમાં જાણ્યું હતું; પરના ગુણમાં લક્ષ રાખી તે ભગવાન તીર્થંકર થયા, માટેજ તેમને નમસ્કાર કરવા ઉચિત છે. તેઓશ્રી કેવલજ્ઞાનથી સર્વના દેાષા જાણતા હતા, તાપણુ કાઈની આગળ કોઇના દોષ કહેતા નહાતા; તેમજ દોષીને તું દોષી છે એમ કહેતા નહાતા. કોઈના આત્માને ખાટું લાગે એવું કેવલજ્ઞાન થયા છતાં પણ ખેલતા નહાતા. જ્યાં ત્યાંથી પણ સદ્ગુણુ દૃષ્ટિથી ગુણા લેવા. હજારા અવગુણુ મૂકીને મનુષ્યમાં રહેલા એક પણ ગુણ લેવા, કારણ કે ગુણી થવું હોય તે ગુણુ દેખવાનીજ ટેવ પાડવી, એમ ભગવાન સમવસરણમાં ખેસી કહેતા હતા. એવા ભગવાનનું સ્મરણુ અને નમન કર્યાથી આત્મામાં સદ્ગુણા પ્રગટે છે, માટે તેમને નમસ્કાર કરવા ચેાગ્ય જ્યાં ત્યાં ગુંણુ દેખવાથી ગુદૃષ્ટિ ખીલે છે અને અવગુણ દૃષ્ટિને નાશ થાય છે, આઠ કર્મ એજ અવગુણુ છે. વિચારા કે આઠ કર્મ કાને નથી લાગ્યાં ? જેને આઠ કર્મ લાગ્યાં છે તેટલા અવગુણી છે. ત્યારે અવગુણી પેાતે અવગુણુ દેખે છે અને પ્રકાશે છે, તેથી કંઈ આત્મકલ્યાણ થતું નથી. માટે ભગવાનને નમસ્કાર કરી ભગવાને જેમ પૂર્વભવેામાં ગુણાનુરાગ ધાર્યાં હતા, તેમ ગુણાનુરાગ ધારણ કરવા જોખ઼એ. For Private And Personal Use Only
SR No.008680
Book TitleVachanamrut
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy