SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૪ વચનામૃત. ઈશ્વરને શરીરરહિત માનશે! તે કાઇ પણ કર્મ તેનાથી કરવાને સમર્થ નહિ થાય. જેમ આકાશ અશરીરી હાવાને લીધે જેમ કાંઈ પણ કાર્ય થતું નથી તેમ ઈશ્વરથી પણ થવાનું નથી. આજા નચ, વ્યાજ અને આયિ છે તેા તે અત્તો છે, તેમ ઈશ્વર પણ અર્તા છે. વળી તમે ઈશ્વરને એક માના છે તે પણ ખાટું છે. એક મધપૂડા બનાવવામાં સર્વ માખી એક મતે થઇ મધપૂડા બનાવે છે તેા ઈશ્વર પરમાત્મા, નિર્વિકાર, નિરૂપાધિક, જ્યાતિઃ સ્વરૂપાને કેમ એકમત નહિ થાય! સર્વ પરમાત્માને એક મત થવામાં કાંઇ પણ બાધ દેખાતા નથી. કારણ કે સર્વ સર્વજ્ઞ છે. શું તમા ઈશ્વરાને કીડા કીડી કરતાં પણ અજ્ઞાની ધારા છે કે જેથી તેમના એક મત થતા નથી ! પૂર્વ પક્ષ—ઘણી માખીઓ ભેગી થઇ એક મધપૂડા બનાવે છે તે પણ શ્વરના વ્યાપારથી મધપૂડા અને છે. ઉત્તર પક્ષ—ત્યારે તે ખાવું, પીવું, ચેરી, પરસ્ત્રીગમન કરવું, જૂઠું એલવું, અને હિંસા કરવી, પ્રત્યાદિક સર્વે કામ ઈશ્વરના વ્યાપારથી બને છે એમ માનવું જોઈએ અને સર્વ જીવ અકર્તા સિદ્ધ થશે ત્યારે પુણ્ય પાપનું મૂળ કાને થવાનું ? પૂર્વ પક્ષ—કુંભાર, લુહાર અને ચાર ઇત્યાદિ સર્વે સ્વતંત્રતાથી (સ્વાધિનતાથી ! પોતપેાતાનું કાર્ય કરે છે. ઉત્તર પક્ષ—ત્યારે બિચારી માખીઓએ શું અપરાધ કર્યો કે તેને સ્વાધીનપણું કહેતા નથી ? વળી અનંત ઈશ્વર માનવામાં આવે તે એક જગત્ અનાવવામાં વિવાદ થઇ જાય, તો તે વિવાદને કાણુ દૂર કરે ? વળી એક ઈશ્વરને દેખી બીજો ઈશ્વર અદેખાઇ કરે કે તું મારા તુલ્ય કેમ છે? આ તમારૂં માનવું પણુ અજ્ઞાન છે. કેમકે ઈશ્વર કે સિદ્ધ મુદ્દે પરમાત્મા સર્વે સર્વજ્ઞ છે. તે સર્વનનું જ્ઞાન એક સરખું થયું અને તેથી એક સરખુ જ્ઞાન થવું જોઇએ. વળી ઈશ્વરા ( પરમાત્મા) પવિત્ર છે. અદેખાઇ દ્વેષ રહિત છે, તેથી તેમને ઝધડા સભવતા નથી. જે ઝધડા કરે તેનામાં ઈશ્વરપણું હાય નહિ. માટે ઈશ્વર અનંત માનવામાં કોઇ પણ પ્રકારનું દૂષણ નથી. સર્વે જીવા કર્યથકી રહિત થાય છે, ત્યારે પરમાત્મપદ પામે છે અને અક્રિય થાય છે. પાછા અહીં આવતા નથી. માટે પરમાત્માએ કે જે અક્રિય છે તેને જગત્ બનાવવાનું કાઇ પણ કારણુ નથી. ૩. તમાએ કહ્યું કે ઇશ્વર સર્વવ્યાપજ છે તે પણ યુક્તિયુક્ત નથી. અમે પૂછીએ છીએ કે રૃશ્વર સર્વવ્યાપ જ્ઞાનથી છે કે ને શરીરથી સર્વવ્યાપક ઈશ્વર માના તેા સર્વ જગાએ શરીરથી છે ? ઈશ્વરનું શરીર For Private And Personal Use Only
SR No.008680
Book TitleVachanamrut
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy