SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વચનામૃત. ૧૯૭ થઈ શકે નહિ. કારણ કે આત્માં શબ્દ સ્વરૂપી નથી. જે શબ્દ સ્વરૂપી હાય તેને ખ્યાલ શબ્દ દ્વારા પામી શકાય, પણ આત્માતા શબ્દથી ભિન્ન છે, માટે શબ્દ દ્વારા તેનું જ્ઞાન આપણે મેળવી શકીએ નહિ. ઉપર જણાવ્યા પ્રમાણે તે શબ્દાતીત છે. ભાષા પરમાણુસ્કંધરૂપથી અનેલી હાય છે, તે પરમાણુઓ પણ પુદ્ગલના જડ પદાર્થના બનેલા છે. તેથીજ ગ્રન્થકર્તા લખે છે કે ભાષા એ પુદ્ગલના કન્વરૂપ છે, અને પુગલ રૂપી છે. તેથી ભાષા પણ રૂપી છે, અને આત્મા તે કેવળ અરૂપી છે, તેથી તે આત્મા ભાષાના પુદ્ગલથી ભિન્ન છે. શબ્દ જડ છે અને રૂપી છે, આત્મા ચેતત છે અને અરૂપી છે, તેથી આત્મા શબ્દોની પેટીપાર રહેલા છે. તે આત્માની—ચેતનની શક્તિ એવી છે કે જેનું આપણે પરિ. પૂર્ણ ચિન્તન કરી શકીએ નહિ. આપણી બુદ્ધિથી તે ચેતનનું સામર્થ્ય કલ્પી શકાય તેમ નથી. યાગીએ ધ્યાનમાં મગ્ન થાપ છે, ત્યારે પણ તે ચેતન શક્તિના સામર્થ્યની કાંઇક ઝાંખી કરી શકે છે, પણુ તેનું ખરૂં સા• મર્થ્ય તે! તેનાથી પણ કેવલજ્ઞાનવિના અજ્ઞાન રહે છે. સર્પ સ્થળે ચેતનાને આવિર્ભાવ કરનાર-પ્રકાશ કરનાર તે ચૈતન્ય શક્તિ છે, આ જગતમાં પ્રવૃત્તિ થાય છે તે સર્વેનું કારણુ તે ચેતના છે. ઉપર જણાવ્યા પ્રમાણે આત્મા શબ્દની પેલીપાર છે, એ ખાખતતે સત્ય છે, પણ આ જગતમાં જ્ઞાન મેળવવાના મુખ્ય આધાર શબ્દો છે. આ જગતને સધળા વ્યવહાર શબ્દથી ચાલે છે. તે શબ્દો અક્ષરા મારફતે લખવામાં આવે કે કેવળ મુખથી ખેલવામાં આવે, પણુ શબ્દો વિના કાંઇ પણ વ્યાપાર એક ક્ષણવાર પણ ચાલતા નથી. માટે તે શબ્દો જ્ઞાનના હેતુ છે. પ્રાચીન મહાત્માએ મુનિયા પોતાને થયેલા આત્મિક અનુભવને લાભ ખીજા મનુષ્યાને મળે તે માટે પુસ્તક! લખતા ગયા છે; અને હાલ પણ અનેક ગ્રન્થો રચાય છે, લખાય છે, અને પ્રકટ થાય છે. આ સર્વે જ્ઞાન આપવાનાં સાધના છે. પુસ્તકા પણ શબ્દનાં બનેલાં છે. માટે શબ્દ એ જ્ઞાન પામવાનું અને આપવાનું ઉત્તમેત્તમ સાધન છે. શ્રુતજ્ઞાનને દેવીની ઉપમા આપવામાં આવેલી છે. વાદેવી, સરસ્વતી એ સર્વ શ્રુતદે વોના અપર પર્યાય છે. જેટલા અક્ષરા છે, જેટલી લીપી છે તે સર્વ દ્રવ્ય શ્રુત જ્ઞાન અપેક્ષાએ કહી શકાય છે. સામાન્ય રીતે ધર્મશાસ્ત્રાને શ્રુત જ્ઞાનનું નામ આપવામાં આવેલું છે. પ્રતિક્રમણુ કરતી વખતે આપણે શ્રુતદેવીની સ્તુતિ કરીએ છીએ. અને નમો વૈમિલિવિધ બીલિપિ બ્રાહ્મી લિપિને નમસ્કાર થા, એવા પાઠ ભગવતી સૂત્રમાં છે; તે પણુ tr For Private And Personal Use Only
SR No.008680
Book TitleVachanamrut
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy