SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૬ વિચામૃત. જડનાવિષે આત્મબુદ્ધિવાળા મિશ્રાદષ્ટિએ આત્માને છેડી, બીજા વિક, દ્રવ્યાત્મમયી શરીરાદિને વિષેજ મુઝાઇ રહી, આ બિચારા આખા વિશ્વને અરે ! ઠગી લીધું છે. પછી પિતાથી ભિન્ન એવા પુત્ર, સ્ત્રી, આદિને પિતાનાં જ માને છે. આ શરીર આત્માથી ભિન્ન છે તો પશુ, પુત્ર, સ્ત્રી, અને ધન, એ તે આત્મા થકી અત્યંત ભિન્ન થયાં. તે છતાં અનાદિકાળથી અવિદ્યાના તાવની ઝુમમાં ને ઝુમમાં હમેશાં એજ બની રહ્યો છે કે તે મારાં છે. પછી તે મૂઢ, શરીર પાતળું હોય તો પિતાને પાતળે માને છે, સ્થલ હોય તો પિતાને સ્થલ માને છે. શરીરમાં આત્મા એવું જે દઢ જ્ઞાન, તે દેહધારીએને શરીર સાથે જ રહેવા દે છે. અર્થાત્ ભવોભવમાં ભટકાવે છે અને “ આત્મામાં આત્મા” એ બોધ, તે દેહધારીઓને શરીરાદિકથી છોડવી, મોક્ષ પ્રાપ્તિ કરાવે છે. અહીં બહિરાત્મ ભાવ છેડી અંતરાત્મા થવાની ભલામણ કરે છે. દેહને વિષે જ આત્મભાવ, તેજ સંસાર સ્થીતિનું બીજ છે. માટે ઈદ્રિયાને બાહિર ન જવા દેઈ, અંતઃ પ્રવેશ કરવો અને પછી અંત:~વેશ સહેજ થતાં અંતર આત્મા થવાય. - હવે અંતર આત્માવાળે જીવ પિતાની પૂર્વની બાહ્ય વૃત્તિને સંભારી ખેદ કરે છે. ઈકિયારવડે મારા આત્મ તત્ત્વમાંથી ખસી જઈ, આ ઈદ્રિયોથી જણાતા વિષયમાં અરે હું ફસાઈ પડે હતો અને તે જ વિષયોને અત્યાર સુધી અવેલેબીને રહેલો હોવાથી ઈદ્રિયથી જણાતો એ તે હું નહિ, એવું મને સમ્યફ પ્રકારે ખરેખર હમણાં સુધી જણાયું નહિ. આમ અંતરા મા થયા પછી પરમાત્માના પદની કુંચી દેખાડે છે. આ ઉપર કહેલા બાહ્ય વિકલ્પ છેડી દેઈ, મનમાં પણ આવતા વિકલ્પોને છોડી દેવા એટલે હું સુખી, દુખી ઇત્યાદિ સઘળા વિકલ્પને ત્યાગ કરે. કેવલ અંતર આત્મા થઇ પરમાત્માની ભાવના કરવી, અને ભાવના કરતાં કરતાં અંતર આત્માને પણ છોડી દેવો; આવો અભ્યાસ કરતાં કરતાં પણ થોડા જ વખતમાં આત્માનું સ્વરૂપ પિતામાં પ્રતિ ભાસે છે. આ જે જે કંઇ દેખાય છે ને તે આત્માથી જુદું છે અને જે જે કંઇ દેખાય છે તે તે ઈદ્રિય ગોચર છે, અને હું તો ઈતિઓને અગોચર છું, જ્ઞાનવાન છું. એટલે દેખાઉં એવો નથી; ત્યારે મારાથી જુદા એવા જડ સાથે કેમ બોલું. પરમાં હવે બાહિર વિકલ્પ તજી અંતર વિકલ્પ તજવાને બતાવે છે. મને કોઈ બંધ કરી શકે, અથવા હું કોઈને બોધ કરું કે હું આ છું, એ તો માત્ર બ્રાતિ છે. કારણ કે હું નિર્વિકલ્પ હોવાથી એવી કઈ For Private And Personal Use Only
SR No.008680
Book TitleVachanamrut
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy