SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વચનામૃત ૧૧ છે. પ્રજાને રાજાના આશ્રયની જરૂર છે. ગૃહસ્થને યાગિના આશ્રયની જરૂર છે. તેમજ યાગિને ગૃહસ્થની અપેક્ષા આહારાદિક માટે રાખવી પડે છે. આમ ઉપકારની સાંકળમાં જગત સંકલિત થયું છે. ગમે તે સ્થિ તિમાં ગમે તેના ગમે તેવા ઉપકારા થએલા હોય છે, થાય છે . અને થશે. આ ન્યાયથી મનુષ્યએ ઉપકાર પ્રતિ લક્ષ રાખવું જોઇએ. ચડકોશિક સર્પત પ્રતિખેાધવાની શ્રી મહાવીર તીર્થંકરને શી જરૂર હતી? વિચારતાં માલુમ પડશે કે ફક્ત ઉપકાર દૃષ્ટિજ. સર્વ કૃત્યમાં, સર્વ ધનમાં, અને સર્વ તીર્થમાં ઉપકાર સમાન કોઇ નથી. ઘણા મનુષ્યા સામેા બદલા લેવાની બુદ્ધિ રાખી ઉપકાર કરે છે. આવા ઉપકારથી અધઃપતન થાય છે, કારણ કે કાઇએ ઉપકારના બદલે સામે ન વાળ્યે તેા ઉલટા તેના ઉપર ક્રોધ થાય છે, અને પશ્ચાત્તાપ થાય છે. માટે નિષ્કામબુદ્ધિથી ઉપકાર કરવા જોઇએ. નિષ્કામબુદ્ધિથી કરેલ ઉપકાર અનંત ધણું ફળ આપે છે. ઉપકાર કરતાં કદી વિષ્ર આવે તાપણુ પાછા ફરવું નહિ. જે મનુષ્યા કીર્તિની ઇચ્છાથી ઉપકાર કરે છે તેને ફક્ત કીર્તિજ મળે છે, પણ ઉત્તમ ફળ મળી શકતું નથી. પ્રત્યેક આત્માને ઉચ્ચ કોટીપર મૂકવા તેનું નામ પરાપકાર છે, દરેક આત્મામાં અનંત સુખને પ્રકાશ કરવામાં જે જે વિદ્મા (અપાયા) છે તેના નાશ કરવા સહાય કરવી તે પરાપકાર જાણુવા. સદ્ગુણી જીવ તા ગુણવાન છે એટલે તેનું શું ભલું કરી શકાય. પણ જે દુર્ગુણી છે તેના દુર્ગુણાને નાશ કરવા તેજ ખરેખર પાપકાર છે. પાતાના કરતાં અલ્પશક્તિવાળા વાનું રક્ષણ કરવું, તેમનાપર દયા કરવી, તેમનાં દુઃખ દૂર કરવા પ્રયત્ન કરવા, તેજ ખરેખર પરીપકાર છે. કોઇ પણ પ્રાણીને સંકટમાંથી બચાવવું, તેની કીર્તિનું રક્ષણ કરવું, તેના હૃદયમાં રહેલી દુર્બુદ્ધિના નાશ કરવા તેજ પરાપકારનું સર્તન જાણુવું. ઉત્તમ પુરૂષો પરાપકાર કરતાં કંટાળતા નથી. પરાપકાર એ ઉત્તમમાં ઉત્તમ આવશ્યક કર્તવ્ય છે. પરાપકાર વિના મનુષ્યને મનુષ્યમાં ગણવા કે કેમ તે વિચારવા ચેાગ્ય છે. શ્રી તીર્થંકરા પણ ગૃહાવાસમાં દીક્ષા લેતી વખતે એક કરોડ સાઠ લાખ સામૈયાનું પ્રતિદ્દિન સાંવત્સરિક દાન આપે. છે. પાતાના ઘેર ભિક્ષુક માગવા આવે છે તે ઉપરથી શિખવાનું કે જો આ ભવમાં દાનાદિકથી પરાપકાર નહિ કરવામાં આવે તે પરભવમાં નીચ અવતાર આવશે. પરાપકાર પેાતાના આત્માના હિત માટે કરવાની જરૂર છે. કારણ કે, આપનાર જે આપે છે તેના બદલામાં તે વિશેષ પ્રાપ્ત કરે છે,. પરાપકારી મનુષ્ય ઉચ્ચ જીવન સહેજે કરે છે, નદી, સમુદ્ર, અને મેધ વગેરે ઉપકારના દૃષ્ટાંતરૂપ છે. મનુષ્ય ક્ષણે ક્ષણે ઉપકાર કરી શકે. દરરાજ ઉપકાર For Private And Personal Use Only
SR No.008680
Book TitleVachanamrut
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy