SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૮. વચનામૃત. ચોમાસું કર્યું. એમ વિહાર કરતા કરતા સેજિત ગામમાં પધાર્યા. શ્રી વિજય સિંહસૂરિની પટ્ટપર વિરાજિત શ્રી વિજયપ્રભસ રિએ સં. ૧૭૨૯ - સેજત ગામમાં સં. ૧૭૨૮ ની સાલમાં સત્યવિજયજત ગામમાં જીને પન્યાસપદ આપ્યું. ત્યાંથી વિહાર કરતાં સાદડી પન્યાસપદ, ગામમાં આવ્યા. ત્યાં આવી એક ચોમાસું કર્યું, ત્યાંથી વિચરતા અનુક્રમે ગુજરાત દેશમાં આવ્યા. પાટણમાં આવતાં સંઘના આગ્રહે ત્યાં રહ્યા. ત્યાંથી અમદાવાદ આવી ચાતુર્માસી કરી. અમદાવાદમાં ઘણે મહિમા થયો. સર્વ ગચ્છમાં મહાપુરૂષ શ્રી સત્યવિજયજી છે એવી ખ્યાતિ થઈ ત્યાંથી પાટણ પધાર્યા. શ્રાવક તથા શ્રાવિકા શ્રી સત્યવિજયજી પન્યાસના મુખથી વ્યાખ્યાન સાંભળવા લાગ્યાં. વૃદ્ધાવસ્થા થવાથી પાટણમાં ઘણું ચોમાસાં કર્યો, તેમના સાધુ તરીકે કેટલાક શિષ્ય પણ થયા. શ્રી સત્યવિજયજી પન્યાસની ઉંમર બ્લાસી વર્ષની થઈ અમદાવાદના સમકરણ શાહાના પુત્ર સૂરચંદ શાહ વ્યાપાર માટે પાટણમાં આવ્યા હતા, તે શ્રી સત્યવિજય પન્યાસને પ્રતિદિન વાંદી ધર્મોપદેશ સાંભળતા હતા. એક દિવસ પન્યાસજીને મંદવાડ થયા, ચાર પાંચ દિવસ મંદવાડ રહ્યા. પણ શ્રી સત્યવિજયજી ધર્મધ્યાનમાં લીન થયા, સમભાવે વેદના સહી ચઉમરણ પયન્તો આદિ સારી રીતે ગણવા લાગ્યા. અંત્યવસ્થા જાણું ઘણું સ્ત્રી પુરૂષે વાંદવા આવવા લાગ્યાં. રૂપિયાદિક નાણાવડે પન્યાસના નિર્મળ નવઅંગનું નરનારીઓ પૂજન કરવા લાગી. નિર્વાણ ગ્રંથમાં રૂપૈયાદિક નાણાંથી નવ અંગે પૂજા કરી એમ લખ્યું છે. ઘણું લોકોએ વ્રત પ્રત્યાખ્યાન કયો. પિશ શુદી બારસે સિદ્ધયોગ અને શનિવાર હતો ત્યારે પન્યાસજીએ દેહત્યાગ કર્યો. સૂરચંદ શાહે તે પ્રસંગે બંદીવાનને છોડાવ્યા, પોશ શુદી ૧૨ અનુપમ માંડવી રચીને તેમાં પન્યાસજીના શરીરને પધસ્વર્ગગમન, રાવ્યું. પ્રાતઃકાલમાં માંડવી કાઢી. આગળ સૂરચંદ શાહ હતા. હાકેમના સિપાઈઓને પણ સાથે ગરબડ મટાડવા લીધા. “જય જય નંદા જય જય ભદ્દા શબ્દ બોલતા સંઘ માંડવી સાથે ચાલવા લાગ્યા. શ્રાવક શ્રાવિકાઓ સાની રૂપાનાં ફળ ઉછાળવા લાગ્યાં. વાડીમાં શરીર પધરાવ્યું, રૂડા સ્થાનકે ચિતા રચી અગરતગર ચંદન, ઘતાદિથી શરીર પ્રજવાળ્યું, અને ત્યાં અનુપમ શૂભ (સ્તૂપ) બનાવ્યો, જે થુભ દેખતાં ઘણું મનુષ્યોને તેમના જીવન ચરિત્રની યાદી આવે છે. અને તેમના સગ્ગણો તરફ દષ્ટિ જાય છે. ગુણીના ગુણ ગાવતાં તે ગુણે સત્તામાં પિતાનામાં રહ્યા છે તે પ્રગટ થાય છે. શ્રી વિજયસિંહ સરિના એ અહેવાસી For Private And Personal Use Only
SR No.008680
Book TitleVachanamrut
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy