SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વચનામૃત ૧૪૧ अहं वैश्वानरो भूत्वा माणिनां देहमाश्रितः ॥ प्राणापानसमायुक्तः पचाम्यन्नं चतुर्विधम् ॥१॥ શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે, સર્વ પ્રાણી માત્રના દેહમાં હુંજ વૈશ્વાનર નામને અગ્નિ થઈને પ્રાણુ અપાનથી સમાયુક્ત થયા છતે ચતુર્વિધ અનાજને પચાવું છું. માટે હે ભાઈ! જે રસોઈ મેં પહેલેથી ચાખી એ વૈધાનરરૂપ ભગવાનને થાળ તરીકે પહોચી. પેલો ગૃહસ્થ પણ પાકો ઘંટ જે હતો. તેણે ધગધગતું એક અંબાડીયું લેઈ તુરત પેલી બૈરીને ચાંપી દીધું. બેરી બેલી કે આમ કેમ મને બાળો છો? ત્યારે તે બોલ્યો કે ગીતાજીમાં કહ્યું છે કે આત્મા તે અગ્નિથી બળતો જ નથી. ૨. नैनं छिन्दन्ति शस्त्राणि, नैनं दहति पावकः ॥ न चैनं क्लेदयत्यापो, न शोषयति मारुतः॥१॥ આત્માને શસ્ત્ર છેદી શકતું નથી, અને અગ્નિ બાળી શકતા નથી, જળ આ૮ શકતું નથી, તેમ વાયુ શોષણ પણ કરી શકતો નથી. તે તે સદૈવ નિરંજન છે. માટે હે બાઈ હારા આત્માને શું થઈ ગયું ? તે બૈરી સમજી ગઈ–કબુલ વાત કરી લીધી, તેમ અતવાદિના તમારા મત પ્રમાણે આત્મા જે નિરંજન છે તેને ભ્રમ થાયજ કેમ ન જ થાય. તો તે ત્રિકાલ અવિદ્યા અબાધિત આત્માને માને છે. સૃષ્ટિ પહેલાં એક બ્રહ્મ હતું તેમ ઉપનિષમાં સ્પષ્ટ લખ્યું છે. દેવ સૌ મત્ર મારી હે સૈમ આ સૃષ્ટિ પહેલાં એક સત-બ્રહ્મજ હતું. જ્યારે સૃષ્ટિ પહેલાં બ્રા હોય ત્યારે એ બ્રહામાંથી જીવાત્મા એ થાય કેમ ? કહેશો કે અવિવાઅજ્ઞાન (બ્રમ) લાગવાથી તો ભાઈ ! તમારા કહેવા પર અનેક દૂષણ ખડાં થાય છે. કારણ કે સત બ્રહ્મને અવિદ્યા લાગીને તેજ જીવ રૂપે થયો તો હવે ધ્યાન, ભજન, જ્ઞાન એ સર્વ તમે સ્વસ્વરૂપ પામવા બ્રહ્મ થવા કરે છો તે નિરર્થક જશે. કારણ બ્રહ્મ હતા તે જીવ થયા તે પાછા બ્રહ્મ થશે તો છવ થવાનો સંભવ થાય છે. પાછાં જન્મ મરણ તો ભોગવવા પડશે. ત્યારે પછી દેવલોકમાં અને મેક્ષમાં ફેર તો રહે જ નહિ. અને તમારી ગીતાજીનાં વચન તમારે ખોટાં કરવાં પડશે. આત્મા તો મુક્તિ પામીને પાછો ફરે નહિ તે જ તમારા ભગવાન કહે છે કે મારું ધામ. यद् गत्वा न निवत्तन्ते तद्धाम परमं मम. . માટે તમારું કહેવું અસત્ય છે. વળી જગત અને પરમાત્મા એક માનતાં જગત મિથા ગણતાં બ્રહ્મ પણ મિચિજ થશે. અને જા. For Private And Personal Use Only
SR No.008680
Book TitleVachanamrut
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy