SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૬ વચનામૃત. તેણે ગાળ દીધી, મારી નિંદા કરી, મને માર્યો, મને હરાવ્ય, આવા વિચાર મનમાં રાખનારાઓના ધિક્કારને કોઈ દીવસ અંત આવશે નહીં કારણ કે-કદાપિ પણ ધિક્કાર ધિક્કારથી અટકતો નથી. ધિકકાર પ્રેમથીજ નાશ પામે છે. આ એક પુરાણે ઉત્તમ નિયમ છે. જે મનુષ્ય પવિત્ર વિચારથી બોલે છે, અથવા વર્તે છે તો મનુષ્યની સાથેજ જતી તેની છાયાની પેઠે સુખ તેને અનુસરે છે. सघळा मनुष्य शिक्षाथी कंपे छे, सघळा मनुष्य मृत्युथी बीहे छे, याद राखो के तमे पण तेना सरखाज छो, अने तेटला माटे कोइ प्राणीनो वध करता नहि. अने करावता पण नहि. धर्मशास्त्री कहे छे के-दरेक प्राणि तरफ दयाळु अने परोपकारी था, जगत्मां शांति फेलाव, आज सिद्धांतनु रहस्य मने सद्गुरुए आप्युं. अद्वैतवादनी ज्ञानचर्चा. વાદી–અમે એક બ્રહ્મને માનીએ છીએ. માયા આળપંપાળ છે અને બ્રહ્મ તે સચ્ચિદાનંદ એકજ શુદ્ધસ્વરૂપ છે. - પ્રતિવાદી–હે અદૈતવાદિન !!! આ તમારે પક્ષ આકાશકુસુમવતઅસત્ય કરે છે. પ્રથમ તો અમે તમને પૂછીએ છીએ કે માયા બ્રહ્મથી ભિન્ન છે કે અભિન્ન ? જે કહેશો કે માયા બ્રહ્મ થકી ભિન્ન છે તો પૂછીએ છીએ કે તે માયા જડ છે કે ચૈતન્ય–કહેશે કે જડ છે તો તે નિત્ય છે કે અનિત્ય ? જે કહેશે કે માયા બ્રહ્મથકી ભિન્ન છે તથા નિત્ય છે તે અદૈતમતના મૂળને તે તમારે આરિતને સિદ્ધાંત બાળીને ભસ્મ કરી નાખશે. કારણ કે બ્રહ્મથી ભિન્ન વસ્તુ ભાયા કરી તે પાછી નિત્ય તે તમારા મુખે તમે એજ દૈતમત સ્થાપન કર્યો, અને અદ્વૈતવાદ મૂળથીજ અસિદ્ધ કર્યો. કહેશે કે માયા જડ છે અને અનિત્ય છે તો દૈતતા સિદ્ધ થઈ કારણ કે અનિત્યવસ્તુ કાર્ય રૂપ છે. તે માયા અનિત્ય હેવાથી કાર્ય રૂ૫ ઠરી અને કાર્ય કારણથી પેદા થાય છે તે પછી માયારૂપ કાર્યનું ઉપાદાન શું છે તે કહેવું જોઈએ. જે કહેશે તે માયાનું ઉપાદાન કારણ છે તો પરિતાર્થે પસરથારામામવા અનવસ્થા દૂષણ પ્રાપ્ત થશે. વળી જે માયાનું કારણ બ્રહ્મ માનશો તે સર્વ કંઈ બ્રહ્મજ બનશે. અને માયાથી બ્રહ્મ કદાપિ જુદું થવાનું નહિ. કદાપિ તમે માયાને ચૈતન્ય માનશે તો પૂર્વ કહેલાં દૂષણે તમારા અતવાદમાં આવી ઉભાં થશે. વળી જે તમે For Private And Personal Use Only
SR No.008680
Book TitleVachanamrut
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy