SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વચનામૃત. ૧૩૧ સૂર્યને વિષ્ણુ કહે છે. મેધ સહિત વિદ્યુતને મહાદેવ કહે છે. વાયુને બ્રહ્મા કહે છે. કેટલાક યાગને માનનારા પૂરક પ્રાણાયામને બ્રહ્મા કહે છે. કુંભક પ્રાણાયામને વિષ્ણુ કહે છે. રેચક પ્રાણાયામને મહાદેવ કહે છે. અને આત્મશક્તિને દેવી કહે છે. જેના જ્ઞાન, દર્શન, ચારિત્રને, બ્રહ્મા, વિષ્ણુ, અને મહેશ્વર કહે છે. અથવા આત્મા સંપૂર્ણ જ્ઞાનને ધારણુ કરી સર્વેન અને તે તે બ્રહ્મા કહેવાય છે. સંપૂર્ણ ગુણાને સ્થિર કરે ત્યારે આત્માત્ર વિષ્ણુ કહેવાય છે, અને અનંત કર્મની વર્માના જ્યારે સર્વથા નાશ કરે ત્યારે તે મહાદેવ કહેવાય છે. એક આત્માનેજ ગુણાની અપેક્ષાએ અનેક નામથી ખેલાવવામાં આવે તે તેમાં કાઈ જાતના દોષ નથી. જગત્ અનાદિકાળથી દ્રવ્યાથિક નયતી અપેક્ષાએ છે. માટે જગતને બનાવનાર કોઈ ઈશ્વર નથી એમ જૈને સ્ત્રીકારે છે, તેમ આદ્દા તથા કેટલાક અદ્વૈતાદિ વેઢાન્તિયે પશુ સ્વીકારે છે. વૈશેષિક દર્શનવાળા પણુ પૃથ્વી આદિના પરમાણુઓને નિત્ય માને છે અને તે પરમાણુએ રૂપ જગતના અનાવર ઈશ્વર નથી એમ સ્વીકારે છે. આર્ય. સમાજીએ સૂર્ય, મેત્ર, અને વાયુ વગેરેને જગા પોષક માતી ઉપચારથી કર્તા તરીકે માને છે, એવું ઔપચારિક કર્તાપણું તે જૈને પણ સ્વીકારે છે. પણ વસ્તુતઃ સત્યકર્તાપણું એવા સૂર્યાદિમાં માનતા નથી. ઈશ્વર પરમાત્મા તા ઉપચારથી પણું કર્તા તરીકે સિદ્ધ થતા નથી. સાંખ્યા કહે છે કે પ્રતિઃ ની પુરુષસ્તુ પુર પારાવત્ નિજૈઃ પ્રકૃતિ (કર્મ ) કર્ત્ત તરીકે છે. પુરૂષ-શ્વિર (આત્મા) તા નિર્લેપ છે. કાઇ વસ્તુને કર્તા સિદ્ધ થતા નથી. જેના પશુ પરમાત્માને અકર્તા માને છે. રાગદ્વેષ રહિત પરમાત્માને જગત્ બનાવવાનું કંઇ પણ પ્રયેાજન નથી. જૈતેના સિદ્ધાંત પ્રમાણે સર્વ પ્રકારની ખટપટ રહિત પરમાત્મા છે. ઇત્યાદિ ઉપર જણાવવામાં આવ્યું છે. ઉપસંહાર—જેતા ઉપર પ્રમાણે સિદ્ધાંતને સ્વીકારી મુક્તિમાં જવા ઇચ્છે છે તેથી તે મઞાપ્તિજ ગણાય છે. જેને આ પ્રમાણે પોતાના સિદ્ધાંતાને માને છે અને અન્યદર્શનને પણ અમુક નયની અપેક્ષાએ માનીને તેનું ગ્રહણ કરે છે. અમુક એકેક નયને માની દર્શને ઉભાં થયાં છે. પણ તેમાંથી (નયેાની સાપેક્ષતાથી) સત્ય ખેંચી લેવું. જે ભાગ અસત્ય લાગે તેની ઉપેક્ષા કરવી. સમ્યગજ્ઞાન પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવે કાઇ ધર્મ ઉપર દ્વેષ ધારણ કરવા નહિ. ષડ્ દર્શનજિત અંગ ભણી જે--જિન દર્શન રૂપ પુરૂષનાં સાંખ્ય, વૈશેષિક, મીમાંસક, અને ઐાદ્ધ વગેરે દર્શને અંગ છે. અંગાને અંગ રૂપ માની તેમાંથી સાર ખેંચવા. અન્ય દર્શનાને સાપેક્ષતયાઢ સમજાયી સ્યાદ્વાદ દર્શનની ખૂબી સમજાવવી, વિતંડાવાદ કરીને ધર્મની મારામારી કરવાથી રાગ For Private And Personal Use Only
SR No.008680
Book TitleVachanamrut
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy