SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭ ) પ્રયોજન હાવું જોઈએ અને તત્સંબંધી એમ કહેવામાં આવે કે જ્યારે જગત્ અગડી જાય, જગમાં મનુષ્યો પાપી થઈ જાય ત્યારે તેને લચ કરવા પડે છે. આમ પણ કહેતાં પાતાની માન્યતા સિદ્ધ થતી નથી. જે કોઈ વસ્તુને મનાવે છે તે તેના ભવિષ્યના પ્રથમ વિચાર કરે છે. જંગત બગડી જશે એવું જે ભવિષ્યકાળનું જ્ઞાન, વિષ્ણુ, ઈશ્વરમાં હાત તા જગત્ સારૂં મનાવત. પણ તેવું જ્ઞાન પણ સિદ્ધ થતું નથી. તેમજ ઈશ્વરનું અનાવેલું જગત્ અગડી ગયું તેમાં ઈશ્વરની અસમર્થતા સિદ્ધ થાય છે. વિષ્ણુ ઈશ્વર જો આ જગતને મનાવનાર હોય તે પેાતાના શત્રુઓને કેમ મનાવે ? આ જીવા મ્હારા શત્રુએ થવાના છે એમ જો ભવિષ્યકાળ સંબંધી જ્ઞાન હૈાત તા કદી મનાવત નહીં. ભવિષ્યકાળનું જેનામાં જ્ઞાન નથી એવા ઈશ્વરને સર્વજ્ઞ કહી શકાય નહીં. જે સર્વજ્ઞ નથી તે પરમાત્મા નથી. આ ઉપરથી સિદ્ધ થયું કે જે લોકે, ઈશ્વરને જગત્કર્તા માને છે તેઓનું માનવું ખરેખર સત્યથી વિરૂદ્ધ છે. તેમજ અવતાર પણ વિષ્ણુ પરમાત્માના થઈ શકે નહીં. જેને કર્મ લાગ્યાં હોય છે તેને અવતાર ધારણ કરવા પડે છે. ઈશ્વરને અવતાર માનતાં તે સકમી હરવાથી ઈશ્વર કરતા નથી. ઈશ્વરને નિરાકાર સર્વવ્યાપક માની તેના અવતાર માનવા તે પણ વધ્યાના પુત્રની કલ્પના બરાબર છે. સર્વવ્યાપક આકાશની પેઠે જે હાય તેનાથી આકાશની પેઠે અરૂપીપણાથી અવતાર ધારણ કરી શકાય નહીં. જે સ્વભાવેજ નિરાકાર હાય છે તેના કદી આકાર મનતા નથી. કદાપિ એમ કહેવામાં આવે કે ઈશ્વર શક્તિમાન છે તેથી નિરાકાર હોવા છતાં પણુ અવતાર ધારણ કરી શકે, આમ પણ માનવું ન્યાયની અહાર છે, કારણ કે શરીરરૂપ કાર્યનું પ્રયોજન સિદ્ધ થતું નથી તે, પૂર્વે જણાવ્યું છે. તેમજ નિરાકાર ઈશ્વરની શક્તિ સદાકાલ નિરાકારપણે વર્તે છે. નિરાકાર, નિરાકારના સ્વભાવ મૂકેજ નહીં. અને કદાપિ તે મૂકે એમ માના તા ઈશ્વર નિરાકાર ગણાય નહીં. અને નિરાકારપણું ઉડતાં' સર્વવ્યાપકપણું પણ ઉડી જાય છે. જે નિરાકાર નથી તે સર્વવ્યાપક નથી. તેથી ઈશ્વરમાં નિરાકાર, સર્વવ્યાપકત્વ, રહેતું નથી. નિરાકાર ઈશ્વર અનેતશક્તિમાનૢ છતાં નિરાકારપણેજ રહી શકેછે. કારણ કે પેાતાના નિરાકાર સ્વભાવ ત્યાગી શકે નહીં. અગ્નિ, અગ્નિના સ્વભાવ મૂકે તેા તે અગ્નિ ગણાય નહીં, તેમ નિરાકાર ઈશ્વર પણુ અવતાર ધારણ કરી શકેજ નહીં. ઈશ્વરને સાકાર માનેા તા શરીરી કરેછે. શરીરનું કારણ કર્મ ઠર્યું અને જે કર્મસહિત હોય તે સંસારી જીવાની પેઠે પરમાત્મા ગણી શકાય નહીં. તેમજ કોઈ પણ રીતે જગત રચવાનું પ્રયાજન પણ સિદ્ધ થતું નથી. For Private And Personal Use Only
SR No.008675
Book TitleTattvagyan Dipika
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Philosophy
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy