SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨ ) ઉત્તર–પુણ્યથી મનુષ્ય અને દેવની ગતિ મળે છે. પાપથી નરક અને તિર્યંચની ગતિ મુખ્યતાએ મળે છે. પુણ્ય સુવર્ણની બેડી તથા છાયા સમાન છે અને પાપ લેહની બેડી સમાન અને તાપ સમાન છે. પાપ સર્વથા ત્યાગ કરવા યોગ્ય છે અને પુણ્ય વ્યવહારથી આદરવા ગ્ય છે. પુણ્યથી મનુષ્યગતિ, વજરૂષભનારાચ સંઘયણ, દેવગુરૂ ધર્મની સામગ્રી, ઇન્દ્રિય યોગ, ઉત્તમ કુળ વગેરે મુક્તિ પ્રાપ્ત કરવાનાં સાધને મળે છે. જે સાધન મુક્તિના યોગ્ય હાલ પૂરાં ન હોય તે ભવિષ્યમાં (આવતા ભવમાં) મળે છે માટે વ્યવહારથી પુણ્ય આદરવા લાયક છે. તીર્થંકરે પુણ્યાનુબંધ પુણ્ય જે ન બાંધ્યું હેત તે સમવસરણ, ઈદ્રોવડે થતી સેવા તથા અનેક જીને ધર્મોપદેશ દેઈમેક્ષ-મુક્તિ મેળવવામાં સહાયકારી થવું વગેરે પરોપકારનાં કૃત્ય કરી શકાત નહીં. શાંતિનાથના જીવે પૂર્વભવમાં પારેવાની દયા કરી તથા મેઘકુમારના જીવે હાથીના ભવમાં સસલાનું દુઃખ વેઠી દયાથી રક્ષણ કર્યું વગેરેથી પુણ્ય બાંધ્યું ન હેત તે ઉચ્ચ અવતાર અને તેના યોગે દેવ, ગુરૂ અને ધર્મનું આરાધન કરવાની સામગ્રીની પ્રાપ્તિ કરી શકત નહીં, માટે વ્યવહારથી પુણ્ય આદરવા લાયક છે. પાપકરતાં પુણ્યનો આદર કરે તે અનંત ગણે શ્રેષ્ઠ છે. મુક્તિની પ્રાપ્તિમાં પુણ્ય નિમિત્ત કારણ હોવાથી ધર્મવ્યવહારને આદર કરવો જોઈએ. મુક્તિપુરી જતાં પુણ્ય વળાવાનું કાર્ય કરે છે. તેમાં ગુણસ્થાનકે પણ શાતા વેદનીયરૂપ પુણ્યપ્રકૃતિનો બંધ પડે છે. નિશ્રય નયથી આમાના સગુણાની આરાધના કરવી જોઈએ. પુણ્યથી થતી દેવલોકની પ્રાપ્તિ વગેરેની વાંછાને ત્યાગ કરવો જોઈએ. એમ વ્યવહાર અને નિશ્ચયનય એ બે નયને અંગીકાર કરવા જોઈએ. સમ્યકત્વ ગુણસ્થાનક આદિ ગુણઠાણે ચઢતાં આત્માની શુભ પરિણામ અને શુદ્ધ પરિણામ એમ બે પરિણામની ધારા વહે છે. ગુણસ્થાનકની હદે પુણ્ય અને પાપનો ક્ષય થાય છે. પુણ્ય અને પાપ પ્રકૃતિઓને સંપૂર્ણ ક્ષય થતાં ચઉદમાં ગુણસ્થાનકના અને મોક્ષ મળે છે. પુરૂષ અને સ્ત્રીઓ વગેરે સર્વે ગુણસ્થાનકપર ચઢી સર્વ સદ્ગુણે પ્રકટાવી મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. પ્રશ્ન-ગુણસ્થાનક કેટલાં છે? તેનાં નામ આપશે? ઉત્તર–૧ મિથ્યાત્વગુણસ્થાન. ૨ સાયનપુખસ્થાન રૂ શિશશુvrunनक. ४ अविरति सम्यगदृष्टिगुणस्थानक. ५ देशविरतिगुणस्थानक. ६ सर्वविरतिगुणस्थानक. ७ अप्रमत्तगुणस्थानक. ८ अपूर्वगुणस्थानक. ९ अनिवृत्तिगुणस्थानक. १० सूक्ष्मसंपराय. ११ उपशान्तमोह. १२ क्षीणमोह. १३ सयोगी केवलिगुणથાન. ૧૪ જિલપુના આ ચતુર્દશ ગુણસ્થાનકનું વિશેષ For Private And Personal Use Only
SR No.008675
Book TitleTattvagyan Dipika
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Philosophy
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy