SearchBrowseAboutContactDonate
Page Preview
Page 597
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પંચદશપરિચ્છેદ. ૫૦૭. વળી મૃત્યુરૂપસુભટનેમારે હંમેશાં પ્રાણીઓના નજીકભાગમાં રહેલો છે, તે મારને અમલ આજે કિવા કાલાન્તરે થવાને તે સંબંધી વિશેષ માહિતી જ્ઞાની શિવાય અન્ય પ્રાણીઓનેહેતી નથી, માટે હંમેશાં ધર્મ સંગ્રહ કરે, ધર્મમાં જે પ્રમાદ કરે છે તે કેવલ મૂખની નિશાની છે. માટે હેમહાનુભાવો દુર્લભ એ આ મનુષ્યભવ પામીભવસાગર તરવાને આ નિકાસમાન શ્રીમતી પારમેશ્વરીદીક્ષા ગ્રહણકરી માનવભવ સફલ કરવામાં તમહે ઉદ્યક્ત થાઓ? એપ્રમાણેગુરૂમહારાજને ઉપદેશસાંભળીને કમલાવતીદેવીએ સૂરિને વંદન કરી પૂછ્યું કે, હેભગવન હે જન્માંતરમાં તેનું પાપકર્યું હશે? કે, જેના પ્રભાવથી દુસહ એવું આ પુત્રવિયોગનું દુઃખ હરેપડયું? બાદ શ્રીકેવલીભગવાનું બોલ્યા, હેદેવાનુપ્રિયે? તે સંબધી હકીકત તું સાંભળ. અવરકંકા નગરીમાં મંડેણુ, મહણ અને ચંદણુને પિતા, તેમજ અક્ષુબ્ધા છે ભાય જેની અર્જુન અને એવા જે અંમડ વણિકનું વૃત્તાંત હે બંધુશ્રી. પ્રથમ કહેલું છે તે અંમડે વણિકુ ઘણાભવભ્રમણ કરીને આ ભરતક્ષેત્રમાં રહેલા મરૂ દેશમાં હર્ષપુર ગામની અંદર અર્જુન નામે ગામેતી ઉત્પન્ન થશે. બાદ અક્ષુબ્ધાપણ વિવિધ પ્રકારના ભવોમાં જન્મ ધારણ કરીને તે અર્જુનની બંધુશ્રી નામે ભાર્થી થઈ. સ્વભાવથીજ ક્ષીણુ છે કષાય જેમના, દયાધર્મ પાલવામાં ત૫ર અને કૃષિ [ ખેતી] કાર્યમાં રક્ત એવાં તે બંનેને સમય પરસ્પરના પ્રેમવડે બહુ આનંદમાં ચાલ્યો જાય છે. તેવામાં વર્ષારૂતુને સમય આવ્યો. મેઘની ગર્જનાઓ શરૂ થવા લાગી, અનુક્રમે વૃષ્ટિ થવાથી પાણું બહુ ભરાઈગયાં બાદ સ્ત્રી સહિત અને પણ પોતાની સીમમાં ખેતીને પ્રારંભ કર્યો.. For Private And Personal Use Only
SR No.008670
Book TitleSursundari Charitam
Original Sutra AuthorN/A
AuthorDhaneshwarmuni
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1925
Total Pages635
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy