SearchBrowseAboutContactDonate
Page Preview
Page 591
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પંચદશપરિચ્છેદ. ૫૦૧ ચકવતી પદવી. સ્થાનમાં કુમારને રાજ્યાભિષેક કર્યો. બાદ વૈતાઢય પર્વતમાં તેકુમારેન્દ્ર વિદ્યાધરેન ચકવતી થશે. પછી સર્વ વિદ્યાધરોએ પિતપતાની કન્યાઓ હેને આપી. બાદ મકરકેતુએ તેમને કહ્યું કે, જ્યાં સુધી નરવાહનરાજાની તે કન્યા (સુરસુંદરી)ને હું પર નથી ત્યાં સુધી અન્ય કન્યાઓને પરણશનહીં. પછી ભાનુવેગે કહ્યું. હાલમાં હું કુશાગ્ર નગરમાં જાઉ છું અને નરવાહન રાજાની પાસે માગણી કરીને હારામાટે સુરસુંદરીને લાવું છું. બાદ મકરકેતુએ કહ્યું કે, એ બાબતમાં તહે હવે વિલંબ કરશે નહીં. અચ્છે પણ પિતાની આજ્ઞા લઈ હસ્તિનાપુરમાં જઈએ છીએ. હજુ સુધી માતાપિતાનાં કઈ પણ સમયે મહને દર્શન થયાં નથી. માટે તેમના ચરણકમલને અહે વંદન કરીએ. એવી અમ્હારી ઈચ્છા છે. એ પ્રમાણે કુમારનું વચન સાંભળી તેભાનવેગ એકદમ આકાશમાગે ગમનકરવાલા. મકરકેતુરાજાને પિતાએ આજ્ઞા કરી કે, હે પુત્રી આજે વિકાલ સમયે ઉત્તમ પ્રકારનું મુહૂર્ત છે, રાજનિદેશ. માટે તે ઉત્તમ સમયમાં માતાપિતાનાં દર્શન તું કર. એ પ્રમાણે પિતાના કહેવાથી સમગ્ર વિદ્યારે તે જ વખતે પ્રયાણની સામગ્રી તૈયાર કરવા લાગ્યા. હે સુરસુંદરિ! એટલામાં હું પણ પિતાની આજ્ઞા લઈને બહુઉતાવળથી આસમાચારકહેવા માટે હારી પાસે આવી છું. આ પ્રમાણે પ્રિયંવદાનું વચન સાંભળી દાસીઓએ રાજાની પાસે જઈને આ સર્વ હકીકત હેને નિવેદન કરી. બાદ રાજા પણ આ વાત સાંભળી બહુ હર્ષાતુર થઈગયે. કર For Private And Personal Use Only
SR No.008670
Book TitleSursundari Charitam
Original Sutra AuthorN/A
AuthorDhaneshwarmuni
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1925
Total Pages635
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy