SearchBrowseAboutContactDonate
Page Preview
Page 557
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચતુર્દશપરિચછેદ. ૪૬૭ આ જંબૂદ્વીપમાં અરવતક્ષેત્રની અંદર આર્યદેશમાં મે ખલાવતી નામે વિશાળ નગરી છે. તેમાં કનકરથકુમાર. ભીમરથનામે રાજા રાજ્ય કરે છે. કુસુ માવલીનામે તેની રાણું છે, તેણનીકુક્ષિ એ મંડણવણિક પુત્રપણે ઉત્પન્ન થયો. દેવકુમારના સમાન છે રૂપ જેનું અને વિશાલ છે નેત્ર જેનાં એ તેકુમાર ઉચિત સમયે ઉત્પન્ન થયો. બાદબાર દિવસથયાએટલેકનકર એવું તેનું નામ પાડયું. અનુક્રમે તે વનવયને પ્રાપ્ત થયો, ભીમરથ રાજાએ પુત્રની યોગ્યતા જાણીને ઉત્તમ કુલમાં ઉત્પન્ન થયેલી રાજશ્રી પ્રમુખ રાજકન્યાઓની સાથે હેને પરણાવ્યો, પછી યુવરાજપદે હેને સ્થાપન કર્યો. ત્યારબાદ કનકરથકુમાર દેવકને વિષે દેવની માફક અંતેઉરની અંદર રહીને ઉત્તમ પ્રકારના માનુષ્ય ભેગેને ભોગવવા લાગ્યો. તે મેખલાવતી નગરીમાં વણિવર્ગમાં પ્રસિદ્ધ એવા સાગરદત્ત અને સમુદ્રદત્તનામે બને સુબંધુ અને ભાઈઓ સાર્થવાહતરીકે રહેતાહતા. હવે ધનપતિ. તે અટવીમાં ભીલેએ મારી નાખ્યા હતા તે નિત્રકને જીવ તિર્યંચ જાતિએમાં કેટલાક દારૂણભવ ગ્રહણ કરી ત્યાંથી નીકળીને સાગરદત્ત સાર્થવાહને ત્યાં ધન્નાનામે તેની ભાર્યાને વિષે સુબંધુ નામે પુત્રપણે ઉત્પન્ન થયે. તેમજ મલ્હણને જીવપણુ આયુષના અંતમાં કાલકરીને સમુદ્રદત્તની સુદ સણુનામે ભાર્યાની કુક્ષિવિષે ધનપતિનામે પુત્રપણે ઉત્પન્ન થયો. વળી તેજ એરવતક્ષેત્રમાં વિજયાનામે નગરી છે. તેમાં બહુ સમૃદ્ધિથી પરિપૂર્ણ ધનભૂતિ નામે For Private And Personal Use Only
SR No.008670
Book TitleSursundari Charitam
Original Sutra AuthorN/A
AuthorDhaneshwarmuni
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1925
Total Pages635
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy