SearchBrowseAboutContactDonate
Page Preview
Page 554
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૬૪ સુરસુંદરીચરિત્ર. મુનિઓનું વૈયાવચ્ચ યથાશક્તિ કરવું. તેમજ મનુષ્ય, તિર્યંચ અનેદેવના સમૂહએ કરેલા ઉપસર્ગોને સહન કરવા, શબ્દાદિક વિષયેમાં રાગદ્વેષ કરવો નહીં, વેદનાની નિવૃત્તિ, વૈયાવચ્ચ, ઈયશુદ્ધિ, સંયમ, પ્રાણવૃત્તિ, અને ધર્મચિંતા એ છ કારણેને લીધે બેતાળીશ(૪૨)દોષથી શુદ્ધ એ આહાર મુનીઓએ ગ્રહણ કર, સ્વાધ્યાય કરવા, સર્વવિકથાઓને ત્યાગ કરે, નિરંતરબાહ્ય અને આત્યંતર તપકરવામાં ઉદ્યમકર, આર્ત અને રૂદ્રધ્યાનને ત્યાગકરીને ધર્મ અને શુકલધ્યાનનો અભ્યાસ કર, અનિત્યાદિક ઉત્તમ પ્રકારની બાર ભાવનાઓનું ધ્યાન કરવું. વિનયગુણને હંમેશાં અભ્યાસકર, સ્વછંદતાને સ્વાધીન થઈ પાપકર્મ કરવાનહીં, ક્ષાંતિ, માવ, આર્જવ, નિર્લેભતા, તપ, સંયમ, સત્ય, શાચ, નિષ્કિચનતા અને બ્રહ્મચર્ય એ દશેપ્રકારને યતિધર્મનું નિરંતર પાલનકરવું. મુનિઓની અંદર હંમેશાં નિવાસકરે, કુશીલ પુરૂષને કોઈદિવસ સંસર્ગ કરવો નહીં. મઘ, વિષયકષાયનિદ્રાઅનેવિથા એપાંચ પ્રકારના પ્રમાદનો પ્રયત્નવડે પરિહારકરવો.અન્યથા-તેઓનું સેવન કરવાથી તેપચે પ્રમાદ જીવને પુન:પુનઃસંસારમાં પાડે છે. વળી અધિક શું કહેવું?દુબલબુદ્ધિવાળા મનુષ્યનામનનેતાપકરનારએવાઅઢાર હજારશીલાંગભારને જીત્યાંસુધીમુનિઓનેવહનકરવાને છે, હેનર નાથપાલનકરાતાએ યતિધર્મ સ્વલ્પસમયમાં મોક્ષસ્થાનમાં લઈ જાય છે.તેમજશ્રાવકધર્મપણ ઘણાકાળે મોક્ષસુખ આપે છે. વળી તે શ્રાવકધર્મ પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચારશિક્ષાત્રત એમ એકંદરમળીને બારપ્રકારને કહે છે. એ પ્રમાણે વિસ્તાર પૂર્વક બંને પ્રકારના ધર્મની વ્યાખ્યા આચાર્ય મહારાજે કહી. અવસરના જ્ઞાતા એવા શ્રી અમરકેતુરાજાએ પ્રસ્તાવ For Private And Personal Use Only
SR No.008670
Book TitleSursundari Charitam
Original Sutra AuthorN/A
AuthorDhaneshwarmuni
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1925
Total Pages635
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy