SearchBrowseAboutContactDonate
Page Preview
Page 547
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચતુર્દશપરિચ્છેદ. ૪૫૭ ત્યારપછી થોડા દિવસમાં પોતાના પુત્ર સાથે તહારે સમાગમ થશે એમ સુમતિએ કહેલું છે માટે તહે ઉતાવળ કરશે નનહીં. હાલમાં તેઆપને મળશે એમાં કોઈ પ્રકારનો સંદેહનથી. કારણકે, તે સુમતિનેમિત્તિક યથાર્થ વાદી છે, તેના ઘણુ પરચા અમારા જોવામાં આવેલા છે. માટે વહાણના ભાગવાથી પણ તમ્હારે તે સંબંધી બીલકુલ શેક કરવો નહીં. એપ્રમાણે ધનદેવ વણિક ઉચિત વચને વડે રાજાને શાંત કરતા હતા, તેટલામાં એકદમ ત્યાં દુંદુસુપ્રતિષ્ઠસૂરિ, ભિના નાદ ઉછળવા લાગ્યા, નગરની બહાર આકાશમાંથી ઉતરતા દેવતાઓ દેખાવાલાગ્યા, તેમજ દેવાંગનાઓના ગીત ધ્વનિ સહિત જય જય શબ્દ સંભળાવા લાગ્યા, તે સમયે સભામાં બેઠેલા લોકો આ શું છે? આશું છે? એમ બેલવા લાગ્યા, તેટલામાં હર્ષથી વ્યગ્ર - ચેલો સમતભદ્ર ત્યાં આવ્યો અને રાજાને પ્રણામ કરી કહેવા લાગ્યું. હેનરાધીશ? આ નગરની ઇશાન કોણમાં કુસુમાકર ઉદ્યાનની અંદર મુનિજનને ઉત્તરવાલાયક સ્થાનમાં આજે સુપ્રતિષ્ઠ આચાર્ય પધાર્યા છે. જેમની સેવામાં અનેક મુનિઓ - હેલા છે, સર્વ શાસ્ત્રાર્થોના સવિસ્તર વિધિમાં જેઓ બહુજ પ્રવીણ છે, તેમજ પરવાદીના સમુદાયરૂપી હસ્તિઓને પરાજય કરવામાં કેસરીસમાન, નાનાપ્રકારની તપશ્ચર્યાના વિધાનમાં અતિશય રાગવાળા, વિશુદ્ધ ચારિત્ર અને સંયમવડે યુક્ત,અને જેઓ પરોપકારમાં એક રસિક છે. તેમજ દગ્ધથયાં છે ઘાતિકર્મ જેમનાં એવા તેઆચાર્યને હાલમાં અપ્રતિપાતિ એવું શ્રી કેવલ જ્ઞાન પ્રગટ થયું છે. માટે હૈદેવી તે કેવલજ્ઞાનનો મહત્સવ કરવા માટે દેવતાઓ આવેલા છે. એ પ્રમાણે સમંતભદ્રનું વચન સાંભળી For Private And Personal Use Only
SR No.008670
Book TitleSursundari Charitam
Original Sutra AuthorN/A
AuthorDhaneshwarmuni
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1925
Total Pages635
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy