SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮૮ સુરસુંદરીચરિત્ર. જનના વાગતા એવા ઉત્તમ ઝાંઝરના નાદવડે શ્રવણેન્દ્રિયને બધિર કરતું, વિપરીત એવી મૈથુન ક્રીડામાં નિપુણ એવીવિલાસિનીજને વડે પરિપૂર્ણ, પુણ્યવડે ઉત્કૃષ્ટ સ્થિતિના લોકો જેની અંદર નિવાસ કરે છે, હજારે શેઠીઆવડે નિરંતર સુશોભિત, પ્રમાણમાં બહુ વિશાલ, રસાતલને પ્રાપ્ત થયેલી પરિખા (ખાઈ)વાળા કિલ્લાવડે વિભૂષિત, ત્રિક અને ચતુષ્ક ચાટાઓની સુંદર શોભા છે જેનેવિષે, પરાક્રમના ગર્વથી ઉત્કૃષ્ટ સેંકડે સુભટેવડે વ્યાસ તેમજ દેવપુરીની રમણીયતાને અનુસરતું કુશાગ્રપુરનામે નગર છે. વળી તે નગરમાં અત્યંત પરાક્રમવડેનિમૅલક્ય છે મહા પ્રતાપવાળા શત્રુઓ જેણે, એ સુખનરવાહનરાજા, સિદ્ધ નરવાહના નામે રાજારાજ્યકરે છે. ' હવે વૈતાઢય પર્વતમાં કુંજરાવર્તનગરમાં ચિત્રભાનુ વિદ્યાધર છે. તેને પુત્ર ભાગ છે. તેની સાથે નરવાહન રાજાની કેઈપણ કારણને લીધે બાલવયમાંથીજ ગાઢ પ્રીતિ બંધાણું. બાદતે નરવાહન રાજાએ એકબીજાની પ્રીતિને સ્થિર કરવામાટે રત્નાવતી નામે પિતાની બહેન તે ભાગને આપી. બાદતે રત્નાવતી તે રાજાના સમસ્ત અતિઉરમાં મુખ્ય થઈ, તેમજ તે રાજાને પણ બહુપ્રિય થઈ પડી. બાદ તેની સાથે વિષયસુખને અનુભવતા તે ભાનુવેગને કેટલાક સમયે એકહું પુત્રી થઈ. હારા જન્મસમયે હા પિતાએ પુત્રના જન્મથી પણ અધિક એ મહોત્સવ આખા નગરમાં કરાવ્યો.જન્મકાળને બારદિવસ થયા ત્યારે આ બાલા રૂપમાં દેવાંગના સમાન છે એમ વિચારકરી વ્હારાપિતાએ ઉચિત સમયે સુરસુંદરીએવું મહારું નામ પાડયું. અનુક્રમે હું વૃદ્ધિ પામવા લાગી કુમારભાવને For Private And Personal Use Only
SR No.008670
Book TitleSursundari Charitam
Original Sutra AuthorN/A
AuthorDhaneshwarmuni
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1925
Total Pages635
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy