SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એકાદશપરિચ્છેદ ૩૮૫ નગરમાંથી જેલોકે અહીં આવતાહતા, તે સર્વે હારા ગુણસમુદાયને મ્હારી આગળ કહેતાહતાકે સુરસુંદરીનું રૂપ બહુ અદ્ભુત છે, તેમજ તે દયા અને દક્ષિણ્યાદિ ગુણનું એક સ્થાન છે. વળી સર્વ કલાઓમાં તે બહુ પ્રવીણુ છે. અને પિતાના પિતાને તે અત્યંત પ્રિય છે. એમ કેટલાક હારા ગુણાનુવાદ અમ્હારા સાંભળવામાં આવેલા છે. માટે હે વત્સ! હવે તું શેક કરીશ નહીં. આ પણ હારા પિતાનું જ ઘર છે. માટે શાંત ચિત્ત પિતાના ઘરની માફક જાણું પેતાની ઈચ્છા પ્રમાણે તું અહીંયાંઆનંદકર,નાનાપ્રકારની ક્રીડાઓ વડે દિવસે સુખેથી નિર્ગમનકર. અહીં કોઈ પ્રકારની હારે ચિંતા કરવી નહીં. એમ અનેક પ્રકારનાં મધુર વચનેવડે હેને આશ્વાસન આપ્યા બાદ, પિતાના ઓઢવાનાવસ્ત્રવડે અચ્છજલથી ભીંજાઈગયેલા ગંડસ્થલ વાળા તેણીના મુખને લુસીનાખીને, જલવડે શુદ્ધ કરાવીને, પશ્ચાત કમલાવતી હેને પિતાના મહેલમાં લઈગઈ ત્યાં પણ તે બાલા બહુ શોકાતુર થઈ ઉદ્ધિનની માફક રહૃાાકરે છે. ક્ષણમાં મોટા નિશ્વાસ મૂકે છે. ક્ષણમાં અશ્રુજલ બહેવરાવે છે. ક્ષણમાં મૂચ્છિત થાય છે. ક્ષણમાં પિતાના આત્માને છુપાવી દે છે. ક્ષણમાં વિલાપ કરે છે. ક્ષણમાં હાસ્ય કરે છે. ક્ષણમાં રૂદન કરવા લાગી જાય છે. ક્ષણમાં મૂક થઈ બેસી રહે છે. એમ આક્રંદ કરવાથી અતિશય ચિંતાનાભારવડે ઘેરાઈગયું છે હૃદય જેનું, એવી તે. બાલા દિવસે દિવસે ક્ષીણ થવા લાગી. નિરાનંદ એવી તે બાલાને જોઈ કમલાવતી વિચારકર વાલાગી. આ સર્વપરિવાર પણ એણીકમલાવતીને ની આજ્ઞામાં હાજરરહે છે, તેમજ બહુ પ્રબોધ, સ્નેહાલ અને સમાનવાયની આ સર્વરા For Private And Personal Use Only
SR No.008670
Book TitleSursundari Charitam
Original Sutra AuthorN/A
AuthorDhaneshwarmuni
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1925
Total Pages635
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy