SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪૦ સુરસુંદરીચરિત્ર. પુત્રચિંતા, પણ પુત્રવતી કયારે થઈશ એવી ચિંતાને લીધે પોતાના શરીરનીચેષ્ટાપણભૂલીગઈ. તેમજ સમસ્ત કાર્યો હેને અરૂચિકર થઈ પડ્યાં.ઉન્મતામૂછિત, નિદ્રિત, સત્ત્વહીન, વાનમાં રહેલીગિની અને મુડદનીમાફક સમસ્ત વ્યાપારથી તે વિમુખ થઈ ગઈ. તેમજ શરીર પણ બહુ ક્ષીણ થઈ ગયું અતિ શોકના પ્રયાસને લીધે મુખકમલપર શ્યામતા વ્યાપી ગઈ.એપ્રમાણે બહુ દુઃખથી પીડાતી પોતાના સ્થાન માં 1 કમલાવતી ગુંગળાયા કરતીહતી. એકદિવસ તે રાજાના જોવામાં આવી, ત્યારે રાજાએ તેણીને પૂછયું. હૈદેવ! હાલમાં તું ઉદ્વિગ્નની માફકકેમ દુલ થઈગઈ છે? આ કિકર ત્યારે સ્વાધીન છે. છતાં શુલ્હારે મનેરથસિદ્ધનથી થતું?તે સાંભળી દેવીનાને અશુ અલયભરાઈગયાં.બાદ તબેલી.હેપ્રિયતમી આપની કૃપાથી સર્વ વાંચ્છિત હું સિદ્ધ થયેલાં દેખુછું.વળી આપની પ્રસનતાથી જે સુખ મહેં નગવ્યું છે. તેવું કંઈ પણ સુખ આદુનીયામાંનથી. પરંતુ હે સ્વામિન? પુત્રના દર્શનનું સુખ હે સ્વપનમાં પણ જોયુ નહીં. તેનાથ? આ દુનીયામાં જેઓ રાત્રિદિવસ પોતાના સ્તનનું પાન કરતા એવા બાલકને જુએ છે તે નારીને ધન્યબાદ ઘટે છે. જુઓ? શ્રીકાંતા હવડાં પરણીને આવી છે છતાં તેણીને પુત્ર ઉત્પન્ન થયે. વળીડું હારી બહુ માનિતી. પરંતુ મ્હારા મંદભાગ્યને લીધે, હું પુત્રવિનાની રહી. હેસ્વામિન્ ? રાજસંપત્તિઓથી ભરેલું એવું શું આપણું ઘર પુત્રવિનાનું શૂન્ય ગણાય છે. જેમકે –. अपुत्रस्य गृहं शून्य, दिशः शून्या अषान्धवाः । मूर्खस्य हृदयं शून्य, सर्वशून्या दरिद्रता ॥१॥ For Private And Personal Use Only
SR No.008670
Book TitleSursundari Charitam
Original Sutra AuthorN/A
AuthorDhaneshwarmuni
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1925
Total Pages635
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy