SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અષ્ટમપરિચ્છેદ. અસ્ત્રોએ ન્હને માર્યો નથી, પરંતુ હારી વિદ્યાવડે એમની શક્તિઓ લેપાઈ નથી. માટે હે મૂઢ? જો કે, હવે તું પાતાલમાં જઈશ તોપણ મહારા પંઝામાંથી છુટવાની આશા રાખીશ નહીં. અથવા મયૂરપણ ત્રીજીવાર ઉડત સુખેથી પકડી શકાય છે. રે! ખચરાધમ? હાલમાં તું હારી દષ્ટિગોચર થયું છે. હવે તું નાશીને કયાં જવાનું છે? હવે હું હુને બહુ દુઃખી કરીને મારવાનો છું. એ વાત ત્યારે નકકી સમજવી. એમ કહીને હે સુપ્રતિષ્ઠ? બહુ ક્રોધના આવેશમાં આવેલા તે નવાહને,નાગિનીવિદ્યાનું આવાહન કર્યું કે તરતજ ઉગ્રવિષવિકારને ધારણકરતા અને ભયંકર એવા સર્પોએ મ્હારાં અંગમાં વીંટાઈને કર્મોવડે રાગમાં આસક્ત થયેલા જીવની માફક, હુને સજજડ બાંધી નાંખે. ત્યારબાદ તે બંધનથી મહારા શરીરે બહુ ભારે વેદનાઓ પ્રગટ થઈ. તેમજ સર્પોના ભારવડે આકાશમાંથી હું પૃથ્વી ઉપર પડી ગયે. હારાં દરેક અંગો તીવ્રવેદનાને લીધે અત્યંત વ્યાકુલ થઈ ગયાં હતાં, આ શાલ્મલીવૃક્ષની નીચે બેભાન થઈ હું પડી રહ્યા, ઉંચીફણાઓ કરી દુષ્ટવિષધરે. હારા શરીરને બહુ મર્દન કરવા લાગ્યા, જેથી હારૂં શરીર તુટવા લાગ્યું, અને એકદમ હું અચેતન થઈ ગયા. હારી પ્રાણુપ્રિયા પણ દુસહ એવી હારી પીડાને જોઈ બહુ દુ:ખી થઈ તે બીચારી ગદ્ગદ્ કંઠે રૂદન કરવા લાગી, હા? આર્યપુત્ર? હા? વલ્લભ? આ અનર્થનું કારણ હું બનીછું. હા? પાપિષ્ટ એવી હું તે સમયે કામદેવના મંદિરની અંદર તેની સમક્ષ કેમ ન મરી ગઈ? હા ! પ્રિયતમ? મ્હારા માટે આપ. આવી દુરંત વેદનાઓને ભેગા થઈ પડ્યા છે. હા! For Private And Personal Use Only
SR No.008670
Book TitleSursundari Charitam
Original Sutra AuthorN/A
AuthorDhaneshwarmuni
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1925
Total Pages635
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy