SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ષષ્ઠપરિચ્છેદ.. kot સત્ય તથા યુનિસેવા તા તેનું જીવનજ હતુ અનુક્રમે પાતાના ભાવની વિશુદ્ધિને લીધે તેને સ ંસારની અનિયતા ભાસવા લાગી. બાદ માનવભવની સફલતા કરવી એજ બુદ્ધિની સફલતા ગણાય છે; એમ ચિતવતાં તેને વૈરાગ્ય દશા પ્રગટ થઇ. આ સંસારવાસ કારાગૃહસમાન દુઃખદાયક છે. સુખશાંતિ તા માત્ર મુનિપદમાંજ રહેલીછે, અન્યત્ર પણ કહ્યું છે કે;– नो दुष्कर्मप्रयासो न कुयुवतिसुतस्वामिदुर्वाक्यदुःखं, राजादौ न प्रणामोऽशनवसनधनस्थानचिन्ता न चैव । ज्ञानाप्तिर्लोकपूजा प्रशमसुखरतिः प्रेत्य मोक्षायवाप्तिः, श्रामण्येऽमी गुणाः स्युस्तदिह सुमतयस्तत्र यत्नं कुरुध्वम् ॥ १ ॥ અર્થ “ મુનિ દીક્ષા ગ્રહણ કર્યાબાદ, દુષ્કમ કરવાને પ્રયાસ ખીલકુલ સેવવા પડતા નથી. અસદ્ આચારમાં પ્રવૃત્તિ કરનાર સ્ત્રી, પુત્ર કે; સ્વામીના દુર્વાકયાનુ દુઃખ સવ થા છુટી જાય છે, રાજાદિકને પ્રણામ કરવાની આપત્તિ સેવવી પડતી નથી, ભાજન, વસ્ત્ર, દ્રવ્ય કે; સ્થાનની ચિંતા રહેતી નથી, અવિવેકને નિર્મૂલ કરવામાં મુખ્ય હેતુભૂત, એવા સદ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, લાકમાં પૂન્યતા પ્રવર્તે છે, શાંતરસમાં પ્રીતિ પ્રગટે છે, તદુપરાંત મરણ થયાણાદ મેાક્ષાદિક સુખની પ્રાપ્તિ પણ થાયછે, એવા અનેક ગુણેા મુનિપણામાં રહેલા છે, માટે હે ભવ્યાત્માએ ? આ સંસારમાં માનવભવ પામી ને તમે સત્બુદ્ધિના સદા સદુપયોગ કરી? તેમજ મુનિમાર્ગને વિષે યત્ન કરી.” આ પ્રમાણે વૈરાગ્યદશામાં રક્ત થએલે તે મેઘનાદ મંત્રી પોતાના પુત્ર અશ્યનવેગને મંત્રીપદ આપીને પેાતે નિવૃત્ત થયેા. ત્યારબાદ વૈરાગ્યમાં દૃઢ અને For Private And Personal Use Only
SR No.008670
Book TitleSursundari Charitam
Original Sutra AuthorN/A
AuthorDhaneshwarmuni
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1925
Total Pages635
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy