SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પંચમપરિચ્છેદ. ૧૬૧ છે. તેમજ તે વિષય પરિણામમાં અતિ દારૂણ દુખ આપનાર નીવડે છે. માટે તેવા અસાર વિષયમાં તમ્હારે બીલકુલ રાગ કરે નહિ. તેમજ તય્યારે પોતે જ તેઓનો ત્યાગ કરે. જેથી અનંત સુખ પ્રાપ્ત થાય છે. અન્યત્ર પણ કહ્યું છે કે; अवश्यं यातार-श्चिरतरमुषित्वाऽपि विषयावियोगे को भेद-स्त्यजति न जनो यत्स्वयममून् । वजन्तः स्वातन्त्र्या-किमपि परितापाय मनसा, स्वयं त्यक्ता ह्येते, शमसुखमनन्तं विदधति ॥ १ ॥ અર્થ–બહુ લાંબા વખત સુધી વિષયો રહી શકે છે, તો પણ તેમને નાશ તો અવશ્ય થવાનો જ છે, તો પછી તેમના વિયોગમાં શે ભેદ રો? જે તેઓ સ્થિર હોય તે વિયેગ એ દુ:ખરૂપ ગણાય, પરંતુ એ બાબત તો છે જ નહી. એમ સમજી મનુષ્ય પોતે જ તેમને શામાટે ત્યાગ કરતા નથી અને તેઓ પોતાના સ્વતંત્રપણથી મનુ ને ત્યાગ કરી જે ચાલ્યા જાય છે તે કંઈ પણ મનને દુઃખદાયક થાય છે. અને કદાચિત્ જે તે વિષયને પોતે જ ત્યાગ કરે તો તેઓ અનંત શાંતિ સુખને આપે છે. માટે હે ભવ્ય પ્રાણીઓ ? આ સંસારસમુદ્રમાં વિપરીત પણુથી જે કંઈ સારભૂત તમને દેખાય છે, તે પણ સેંકડે દુઃખને હેતુ થાય છે. એમ જાણું શ્રીજીનેંદ્રભગવાને કહેલા ધર્મને વિષે તમે ઉક્ત થાઓ. વળી આ અનાદિ અનંત ભવરૂપી સમુદ્રમાં અનેક વાર પરિભ્રમણ કરતાં બહુ પુણ્યગને લીધે અપૂર્વ એવી આ દુર્લભ ધર્મ સામગ્રી પ્રાપ્ત થઈ છે. તેને તમે નિષ્કલ ન કરે. કારણ કે, ચોરાશી લાખ છવા એનિથી વ્યાસએવા ૧૧ For Private And Personal Use Only
SR No.008670
Book TitleSursundari Charitam
Original Sutra AuthorN/A
AuthorDhaneshwarmuni
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1925
Total Pages635
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy