SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૮ સુરસુંદરીંચરિત્ર. વળી જે અપમાનરહિત વિદ્યાધરની રાજલક્ષ્મીને અનુભવ કરીને વિખ્યાત યશવાળા પુત્રરૂપ આપને પોતાના સ્થાનમાં સ્થાપન કરી, પિતે સંસારવાસથી ઉદ્વિગ્ન થયા, તેમજ લૌકિક વિભૂતિની અસારતા તેમના સમજવામાં આવી, વસ્ત્રના અગ્ર ભાગમાં લાગેલા જીર્ણ તૃણની માફક રાજ્ય લક્ષમીને ત્યાગ કરી, શ્રીરૂષભદેવ ભગવાને કહેલું સર્વ વિરતિ રૂપ ચારિત્ર, ચિત્રાંગદ મુનિવરની પાસે જેમણે લીધું હતું, તે તમ્હારા પિતા સુરવાહનવિદ્યાધરમુનિવર પોતાના પરમ પવિત્ર ગુરૂ પાસે ગ્રહણ તથા આ સેવન રૂપ બન્ને પ્રકારની શિક્ષાને અભ્યાસ કરી, શાસ્ત્રમાં બહુ દક્ષ થઈ, એકાકી વિહાર પ્રતિમાને અંગીકાર કરી, છઠ્ઠ, અઠ્ઠમ, દશમ, દ્વાદશાદિક નાના પ્રકારની તપશ્ચર્યામાં ઉઘુક્ત થઈ ગ્રામ, નગર, પુર, પાટણ અને આકર આદિકથીવિભૂષિત એવી વિશાળ પૃથ્વી ઉપર વિહાર કરતા અને ભવ્ય પ્રાણુંઓનો સદ્ બાધવડે ઉદ્ધાર કરતા આજે આ વૈતાઢયના ચિત્રકૂટ શિખર ઉપર પધાર્યા છે; વળી પ્રાપ્ત કરી છે નાના પ્રકારની પ્રતિમાઓ જેમણે અને શુકલ ધ્યાનના પ્રભાવથી ક્ષીણ કેવળજ્ઞાન. થયો છે મેહ જેમને એવા તેમનીંદ્રને લોકાલોકને પ્રકાશ કરનાર એવું કેવલ જ્ઞાન ઉત્પન્ન થયું છે. એ પ્રમાણે તે વિદ્યાધર કુમારનું વચન સાંભળી ગધવાહન રાજાના હૃદયમાંથી એકદમ અમંદ હર્ષ ઉભરાઈ જવા લાગ્યું અને તેનાં નેત્ર પણ પ્રફુલ્લ થઈ ગયાં. પછી તે ઉત્કંઠા પૂર્વક બોલ્યો. હે સંગત ? તે અહીં હારી પાસે આવ, આજે હારા પૂજ્ય પિતાના કેવલ જ્ઞાનની વાર્તાવડે હું હારું જીવિત સફલ કર્યું, અહ? આજે મહારા આનંદની For Private And Personal Use Only
SR No.008670
Book TitleSursundari Charitam
Original Sutra AuthorN/A
AuthorDhaneshwarmuni
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1925
Total Pages635
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy