________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રારંભમાં ચરિત્રના પ્રથમ પૃષ્ઠના મથાળે સુરિજી પાતાના સદગુરૂ દેવના ચરણસરાજમાં વંદન કરતાં કથે છે કેઃ——
॥ शास्त्रविशारद जैनाचार्य योगनिष्ठाध्यात्मज्ञानदिवाकर सद्गुरु गच्छाधिराज श्रीमद् बुद्धिसागरसूरि चरणसरोजेभ्यो नमः ॥
વિનય અને વિવેકવડે વિભૂષિત આપણા ચરિત્ર લેખકની લેખિની હવે ચરિત્ર લેખનના મેદાનમાં પૂર વેગથી ચાલે છે. આ લેખક આચાર્યશ્રીની લેખનશક્તિ પાંડિત્ય અને કવિત્ત્વશક્તિનું પીછાન તે હું પ્રથમ ભાગમાં જ કરાવી ગયા છુ. એટલે હવે કથાના રસકુડમાંજ ડૂબકી મારવી રહે છે.
ધર્માં જીજ્ઞાસુ, પોતાના મનુષ્યભવને સફળ કરવાની મહેચ્છાવાળા શ્રાદ્ધજનાને નિત્ય સેવવાયેાગ્ય-મુક્તિમાર્ગ દાતા-ભગવતે ભાખેલ સમકીત મૂલ ખારવ્રત, તેના અતિચાર અને એના સેવનથી થતાં અનિષ્ટ તથા વ્રત પ્રતિપાલનથી થતાં ઉત્કૃષ્ટ ફળ નિર્દેશ આ ગ્રંથમાં ઉત્તમરીત્યા વર્ણવ્યા છે. ને તે ઉમદા દૃષ્ટાંતાવડે વિશાળતાથી કહેવામાં આવ્યા છે. વળી તે કથા વનમાં ચાતુર્ય ––ઉત્તમ ત્રુદ્ધિ વિલાસ, જનસ્વભાવ દર્શન, અદ્દભુત ગૂઢ ગંભીર તત્વજ્ઞાન પ્રરૂપણા, તત્સમયના લેાકાચાર ધાર્મિક-વ્યાવહારિક-સામાજીક, રાજકીય પરિસ્થિતિ, પ્રબળ વૈરાગ્ય ભાવના, અને સ ંસારની અસારતા આદિ વિકટ પ્રશ્નોના ઉકેલ સરળ અને સફળતાથી કર્યાં છે. વિદ્વાન અને સામાન્ય જ્ઞાન પામેલ મનુષ્યને વા ધર્મ જીજ્ઞાસુ નિતા વર્ગને પણ સુલભતાથી સહજ હુમજાય તેવા આ ધર્મકથા ગ્રંથ છે.
લેખક મહાશય પોતાની સુરસ રસભર વર્ણન રૌલી આ દ્વિતીય વિભાગમાં પણ એક સરખી રીતેજ ચલાવ્યે જાય છે. વળી તેમ કરવા જતાં તેમાં કાઈ જાતના દોષ ન આવતાં ઉલટાં નિવન રસનાપૂર તેમાં છવાતા જાય છે, વાંચક તેમાં તાિન બનતા જાય છે.
શ્રી સુપાર્શ્વનાથ પ્રભુને વંદન કરીને હવે મહા ભાગ્યવાન—તત્વજ્ઞાનના જીજ્ઞાસુ ભક્ત દાનવીર્ય રાજા પ્રભુને ત્રીજા અણુવ્રતનું સ્વરૂપ જણાવવા વિનતી કરે છે. ગ્રામ, આકર અને નગરાદિક સ્થાનામાં સચિત્ત, અચિત્ત અને મિશ્ર એમ ત્રણ પ્રકારની ચોરી ચઢાવનાર એવું અદત્તસ્થૂલ દ્રવ્ય હોય તેને
For Private And Personal Use Only