SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૫૮) શ્રી સુપાર્શ્વનાથચરિત્ર. અહીં આવું ત્યાં સુધી તમ્હારે અહીં રોકાવું. પછી સાર્થવાહ પણ હારા વચનને સ્વીકાર કરી મહારી સહાય માટે પોતાના કેટલાક સુભટે મોકલ્યા. પછી હું ત્યાંથી સુભટ સહિત નીકળીને સ્ત્રીની શોધમાં ફરતે હતું તેવામાં એક વાઘ મહારા જેવાસ્ત્રીની શોધ. માં આવ્યા અને તે સુઈ ગયો હતો. તેમજ તેની પાસમાં ઉત્તમ વીંટીઓ, કડાં, બાજુબંધ અને સુવર્ણના કંકણથી વિભૂષિત તે બાલાના બન્ને હાથ, અને બહુ સુંદર સેનાની સાંકળ સહિત બને ઝાંઝર તેમજ આ રત્નાવલી હાર વિગેરે સર્વ આભૂષણે પડેલાં જોયાં. પછી તે બાલાના માંસથી તૃપ્ત થઈ સુતેલા તે વાઘને હું બેલા. રે લંપટ ! નિરપરાપી બાળાને મારી હજુ પણ નિર્ભય થઈ સુઈ રહો છે? પરંતુ હારા પેટમાંથી તે બાલાને જરૂર હું ખેંચી લેવાને છું. એ પ્રમાણે મહારાં અસહ્ય વચન સાંભળી વાઘ એકદમ જાગ્રત્ થઈ ઉભે થયે, અને પોતાના ગાજરવથી બ્રહ્માંડ રૂપી મંડપને વિખેરતે હાયને શું ? વળી ભારે પછડાના આડંબર વડે ભૂતલને કંપાવતો હેયને શું ? એમ અનુક્રમે યમ સમાન અત્યંત ગર્વને વહન કરતો તે હારી ઉપર ધસી આવ્યું. મહું પણ વજા સમાન ખેંરના ખીલાવડે ડાબા હાથે હેની જીભ અને આઠ વધી લીધા. તેમજ જમણા હાથમાં ધારણ કરેલી છરીવડે તેનું ઉદર ચીરી નાખ્યું. તેથી તે તત્કાલ પ્રાણ મુક્ત થઈ ગયે, પછી તે બાલાના શરીરના સર્વ અવયવ તેમજ તેનાં કડાં, કુંડલ વિગેરે સર્વ આભરણું લઈને ફરસી ઉપર વાવનું કલેવર ભરવી હું સાર્થવાહની પાસે ગયે, અને તેને કહ્યું કે રત્નપુર નગરમાં રત્નસંચય નામે શેઠ છે. દેવશ્રી નામે તેની ભાર્યા છે, તેઓ આ, બાળાનાં માબાપ થાય છે, તેમને આ આભરણે તમે જાતે For Private And Personal Use Only
SR No.008669
Book TitleSuparshvanath Charitra Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1924
Total Pages497
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari, Worship, & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy