SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મનોરથની કથા. (૧૯) કેટલુંક સેન્ચ મૂકી પોતાના નગરમાં રાજા પાસે ગયે. અને યથાર્થ સર્વ વાર્તા તેમને નિવેદન કરી. ત્યારબાદ રાજાના યથા રોગ્ય સત્કારને સ્વીકાર કરી તે પિતાને ઘેર ગયે. અનુક્રમે ચારે ભાઈઓ જ્યારે પિતાશ્રીના ચરણ કમલમાં નમવા માટે ગયા ત્યારે પિતાએ પુછયું શિવભદ્રને કે હે પુત્રે ! તમારા નિયમની શી સ્થિતિ ઉપદેશ. થઈ તે કહે. તેઓએ ઉર્વ દિશા વિગેરે પ્રદેશમાં ગમન કરવાથી પિતા પોતાના નિયમોમાં લાગેલા અતિચાર વિસ્તાર પુર્વક કહા. તે સાંભળી શ્રેષ્ઠી બોલે, ભાઈ! બહુ તુચ્છ લક્ષમી માટે તહેં ઘણું જ અગ્ય કામ કર્યું એટલું જ નહિં પરંતુ ઉત્તમ છે કુક્ષિ જેની અને પ્રસન્ન મુખવાળી એવી મેક્ષ લક્ષમીને તમે પરિહાર કર્યો. વિરતિને ભંગ કરી જે રાજ્યલક્ષમી મેળવી તે તે અલક્ષમીજ ગણાય: માટે હવે ગુરૂ પાસે જઈ તમે પિતાના દુશ્ચરિતની આલેચના કરે. અને પ્રાયશ્ચિત્ત કરી શુદ્ધ થાઓ. તેમજ જે તમે સર્વદેવને જાણતા હે આજથી હવે રાજસેવાનો ત્યાગ કરો. આ પ્રમાણે પિતાના પિતાને ઉપદેશ સાંભળીને પણ તેઓ રાજ્ય વૈભવના લાભથી તેમાં બહુ આસક્ત થયા અને તે સર્વે બંધુઓ પિતાની રૂબરૂમાં અવિનયના વચન બોલવા લાગ્યા. હે તાત! જે અમારી ઉપર આપને આટલો બધો પ્રેમ હતું તે પ્રથમથીજ રાજા પાસે અમને શામાટે મોકલ્યા ! હવે અમે વેપાર કરવામાં શરમાઈએ છીએ. વળી હે પિતાજી ! પ્રભાવનાદિક કરવા વડે હવેથી અમે નિરંતર જૈન ધર્મ પાળીશું. અને તમે પણ નિશ્ચિત થઈ ધર્મ સાધન કરે. હવે તમારે કોઈની પણ સેવા કરવાની જરૂર નથી, માત્ર સુગુરૂઓની સેવા કરે. તેમજ યત્ન પૂર્વક દાનધર્મમાં પ્રવૃત્ત થાઓ. વળી કેઈપણ વખતે અમારી ચિંતા મનથી પણ For Private And Personal Use Only
SR No.008669
Book TitleSuparshvanath Charitra Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1924
Total Pages497
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari, Worship, & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy