SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સેનશ્રેષ્ઠી કથા. (૧૦૭) છે. જે પાપકાર અને ભગવાનના વચન પ્રમાણે યથાથ કરવામાં આવે છે તે આત્માના હિતભાવે પરિણમે છે. એમાં સંશય નથી, જેઓ અન્યનું અનિષ્ટ કરવાથી પેાતાનુ' હિત માને છે. તેઓને જીનવચનથી માહ્ય જાણવા અને તત્ત્વથી પેાતાનું હિત જાણતા નથી. માટે ધર્મ સિવાય આ દુનીયામાં કંઇપણ આત્મહિત છેજ નહિ. તેથી હું બ્યતરાધિપ ! હવે ત્યારે હમ્મેશાં ધર્મમાં ઉઘુક્ત થવુ. વ્યંતર ખેલ્યા, હું મહાશય ! આપનુ' કહેવુ સત્ય છે, આપના વચન પ્રમાણે હું વીશ એમ કહી તે અદશ્ય થયે. સેનશિક્ષા. જ્યારે સૂર્યોદય થયા ત્યારે સેનશ્રેષ્ઠીની સ્ત્રી નગરની અંદર પેાતાના સ્વામીની શેાધ માટે ફરતી ફરતી ચંતરના ઘેર ગઈ તે વિશેષ અલંકારાથી વિભૂષિત શેઠને ત્યાં બેઠેલા જોયા. અને કહેવા લાગી કે, હું પ્રિયતમ ! આપને શેાધવામાં હું બહુ થાકી ગઇ. આ આભરણુ અને આ સમૃદ્ધિ આપને કાણે આપી ? સેન એલ્યે, હૈ સુંદરી ! ધર્મના પ્રભાવથી આ સ પ્રાપ્ત થયું છે. અન્ય કંઇપણુ પૂછવું નહીં. એમ કહી ક્ષણમાત્ર પછી શેઠ જીનમંદિરમાં ગયા. ત્યાં ભક્તિપૂર્વક અનેક પ્રકારના પુષ્પ તથા નૈવેદ્યવરે પૂજા કરી વિસ્તાર પૂર્વક સંગીત કરાવ્યું. યાચકાને પણ દ્રવ્યદાનવડે સંતુષ્ટ કર્યા. પછી ગુરૂ મહારાજને વંદન કરી પેાતાને ઘેર ગયા. અને સાધર્મિકજના સાથે ભાજન કર્યું. એમ કરતાં દિવસ વ્યતીત થયા. રાત્રી સમયે પ્રાર્થના કર્યો સિવાય પણ વ્યંતરે સ્નેહવડે રાજાના ભડારમાંથી દ્રવ્યના ભરેલા સાકલશ ઉઠાવીને શેઠના ઘરમાં મૂકયા અને કહ્યું કે ખીલકુલ રાજતરફથી ભય રાખ્યા સિવાય ઇચ્છા પ્રમાણે તમે દાન આપે.. આ દ્રવ્ય થઇ રહેશે એટલે ખીજું લાવી આપીશ. For Private And Personal Use Only
SR No.008669
Book TitleSuparshvanath Charitra Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1924
Total Pages497
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari, Worship, & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy