SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જણાવે છે અને દુશ્મનના પ્રાણને બચાવ એજ પિતાનું સ્વામિવાત્સલ્ય માને છે. મોટા મનના સપુરૂષોની સર્વદા સર્વત્ર આવી જ કૃતિ હેાય છે. રાજા પછી પોતાની પટરાણીને દેવયશની પત્ની રુકિમણી પાસે મક્લી તેને પાલખીમાં તેડાવે છે ને પોતે તેને પગે પડે છે. તેને આશિષ આપતાં રુકિમણી કહે છે-“હે ! નરાધીશ! આપ સૈ કલ્યાણના પાત્ર થાઓ !” રાજા રુકિમણુને પછી ભદ્રાસને પધરાવી હાથ જોડી–ધર્મભગિની ” શબ્દ સંબોધી પિતાના ગુનાહની ક્ષમા યાચે છે ને સર્વ રાજ્યસંપત્તિ તેને ચરણે ધરે છે. ત્યાં દેવયશનો પુત્ર આવે છે ને પિતાના માતાપિતાને નમી સર્વને સત્કાર કરે છે. રાજાનો વિવેક ને દેવયશના પુત્રને વિનય ને માતપિતાની ભક્તિ આદરણયજ ગણાય. આ પછી દેવયશ સૌને લઈ ઉદ્યાનમાં આવેલા સૂરીન્દ્રને વંદન કરવા જાય છે. ને હળુકર્મ મહાભાગ દેવયશ સ્ત્રી સહિત દીક્ષા લેવા રાજા પાસે આજ્ઞા માંગે છે. દશ દિવસ પછી રાજા અને સંબંધી વર્ગની સમ્મતિ પૂર્વક ઠાઠમાઠથી–સર્વ નગરમાં અમારી ઘેષણ કરાવી–સનમાર્ગે દ્રવ્ય વ્યય કરાવી, ચતુર્વિધ સંઘની ભક્તિપૂર્વક દીન અનાથ દરિદ્રીઓને યથાચિત દાન દઈ પત્ની સહવર્તમાન દીક્ષા અંગીકાર કરી. રાજાએ બહુધન આપી તેના પુત્રને શ્રેષ્ટી (નગરશેઠ) પદે સ્થાપન કર્યો. રાજાએ પણગ્ર હીધર્મ સ્વીકાર્યો ને જેનશાસન બહુજ દીપવા લાગ્યું. દેવયશ મુનિ અને રુકિમણુ સાધ્વી સમ્યક્ પ્રકારે ચારિત્ર પાળી-કેવળજ્ઞાન પામી તદ્દભવે મુક્તિ પામ્યાં સ્થૂલાદત્તાદાન વિરમણ વ્રત પ્રતિપાલનથી આમ આ પવિત્ર દેવયશ મુનિ મુક્તિ પામ્યા. આ પ્રમાણે પ્રથમ કથા પ્રભુએ શ્રી દાનવીર્ય રાજાને સંભળાવી. હવે બીજી કથામાં પ્રભુ દાનવીયરાજાને નાહટ શ્રેણીની કથા કહે છે. ત્રીજા અણુવ્રતના પ્રથમ અતિચારનું સ્વરૂપ સમજાવતા પ્રભુ વિસ્તારે છે. દાનવીર્ય રાજા અને બીજા સૌ જીજ્ઞાસુઓ આ પ્રભુ વચનામૃતનું પાનચાતકની જેમ કરે છે – ( વિશાળ લક્ષ્મીના કમલમન્દિર સમાન ભદ્દિલપુર નગરે સ્થિરદેવ શ્રેણિ અને કમલથી તેની ભાર્યાં વસે છે. તેના લેબી અને ઉન્માર્ગગામી નાહટ નામે પુત્રને કોઈ તેને મિત્ર વ્યાપારનો લેભ બતાવી નગર બહાર અનેક For Private And Personal Use Only
SR No.008669
Book TitleSuparshvanath Charitra Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1924
Total Pages497
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari, Worship, & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy