SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૧૬) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર એ પણ કેણ જાણી શકે? તેથી અલીકવાદ વિરમણવ્રતમાં આ કલંકભૂત ગણાય છે. વળી મિત્ર રહસ્ય તેમજ પોતાની સ્ત્રીનું ગુપ્ત વૃત્તાંત પ્રગટ કરવું નહીં. તેના ઉપલક્ષણથી અન્ય મંત્ર પણ પ્રગટ કરવા નહી. આ પ્રમાણે ધનસારે વારંવાર તેને બહુ ઉપદેશ આપે, પરંતુ મદનની તે કુટેવ દૂર થઈ નહીં. હવે તેની ધર્મપત્ની પવા ધર્મમાં બહુ પ્રવીણ, તથા વિનય અને ક્ષમાગુણથી વિભૂષિત હતી, તેમજ તેની ધર્મપત્નીપદ્મા. મુખાકૃતિ પૂર્ણચંદ્રમંડલ સમાન દીપતી હતી, શીલગુણથી સંપન્ન અને સસ્કુલમાં જન્મ પામેલી એવી તે પડ્યા હમેશાં પોતાના પતિની સેવામાં ધર્મ બુદ્ધિ માનતી હતી. એક દિવસે પોતાના પિતાને ત્યાં કે મહોત્સવને પ્રસંગ આવ્યું. એટલે તેને પિતા એકલી પઘાને પિતાને ઘેર તેડી ગયે. અનુક્રમે મહોત્સવની સમાપ્તિ થયા બાદ મદન પિતે ત્યાં જઈને પોતાની સ્ત્રીને પોતાને ઘેર તેડી આવ્યા. પરંતુ તેનું શરીર હાડપિંજર માત્ર જોઈ એકાંતમાં તેણે પૂછયું કે, ઉત્સવને પ્રસંગ હેવા છતાં હારી આવી દુઃખી અવસ્થા થવાનું કારણ શું? તે સાંભળી અશ્રુધારાને વહન કરતી પદ્મા તેના પગમાં પડીને બોલી કે હે નાથ! કૃપા કરી આ વાત તહારે હને પૂછવી નહીં. મહારા દુર્ભાગ્યને લીધે જે થયું તે ખરૂં. મદન બોલ્ય–શું મહારાથી પણ ગુપ્ત રાખવા જેવું છે ? પદ્મા બોલી,હે જીવિતનાથ! એમ તો હાય જ નહીં. પરંતુ આપના પ્રમાદથી કદાચિત કઈપણ આ વાત જાણી જાય તે જરૂરહારે મરવું પડે. ત્યારે મદન બલ્ય, શું કઈ કાળે પણ તેમ થાય ખરૂં? તું ખુશીથી બોલ, તે માટે કંઈ પણ હરૂ કત રાખીશ નહીં. પછી તેણીએ શરમને લીધે ગદગદ્ વાણીથી કહ્યું કે, મહાર ના ભાઈ બહુજ અવિનયનું કુલમંદિર છે, તેમજ પરસ્ત્રીમાં રાગી, પર રહસ્ય પ્રગટ કરનાર, પરને અપવાદ For Private And Personal Use Only
SR No.008668
Book TitleSuparshvanath Charitra Part 1
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1924
Total Pages517
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari, Worship, & Literature
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy