SearchBrowseAboutContactDonate
Page Preview
Page 480
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૦૬) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર: પકડાવીને તરત જ કારાગૃહમાં દાખલ કર્યો. આ પ્રમાણે ધરણમંત્રીનું સાહસ જોઈ મનદેવ પિતાના પુત્રને પક્ષ લઈ બોલવા લાગ્યો. તેથી તેને પણ તેજ સ્થિતિમાં તેણે દાખલ કર્યો. ત્યારબાદ નગરના મુખ્ય આગેવાનોને એકઠા કરી સાગર શ્રેષ્ઠી ધરણુ પાસે પ્રાર્થના કરવા ગયે. ત્યાં જઈ ધરણને નમસ્કાર કરી તે બે કે, આ બન્ને જણે કંઈપણ અપરાધ કર્યો નથી, છતાં એમને આ બંધન શું યેગ્ય ગણાય ? ધરણ બેચે, તે લેકે રાજ્ય વિરૂદ્ધ વિચાર કરતા હતા, છતાં પણ તેઓ અપરાધ વિનાના? અને સાથે તું પણ સત્યવાદી ખરા! એમ વાદ વિવાદ ચાલતાં ધરણને સાગર ઉપર બહુ રીસ ચડી, તેથી તેને પણ પકડીને તેનું સર્વ ધન લુંટી લઈ રાજ ભંડારમાં નાંખી દીધું. હવે મહાજન લોકોનું કહેવું પણ તેણે ન માન્યું તેથી તેઓ રાજા પાસે ગયા અને આ સર્વ વૃત્તાંત વિસ્તારપૂર્વક રાજાને નિવેદન કર્યું. રાજાએ તે વાત ધ્યાનમાં લઈ તરતજ ધરણને લાવીને પૂછયું કે, આ મહાજન લેકે જે કહે છે તે શું સત્ય છે? ધરણબે, એમાં શું અસત્ય છે? અમે તહારો ખજાને ભરીએ છીએ, તેથી અમેજ કેવલ અસત્યવાદી છીએ. રાજા બો–એમ કરવાનું આપણે કંઈપણ પ્રોજન નથી. માત્ર તેઓના જે અપરાધ હોય તે તું બેલ. ધરણ બે, આ લેકે એકાંતમાં રાજ વિરૂદ્ધ વિચાર કરતા હતા, તેથી તેઓને મહેંગ્ય શિક્ષા કરી છે. તે સાંભળી રાજાએ તેઓને પૂછયું. ત્યારે તે લેકેએ ઉત્તર પ્રત્યુત્તરવડે ધરણને નિરૂત્તર કર્યો. બાદ ધરણ વિલક્ષ્ય થઈ રાજાને કહેવા લાગ્યું કે, આ મૂખજાની સાથે મહને વાદવિવાદ કરાવે છે તે એગ્ય ગણાય નહીં. જે હું આપને અન્યાયકારી લાગતો હોઉં તે કેઈપણ સારો ન્યાયવેત્તા હોય તેને આ આપની ન્યાયમુદ્રા આપો. એમ કહી તેણે તે મુદ્રા હસ્તમાંથી કાઢીને દૂર ફેંકી દીધી. ત્યારે રાજાએ કહ્યું, હે ધરણ! For Private And Personal Use Only
SR No.008668
Book TitleSuparshvanath Charitra Part 1
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1924
Total Pages517
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari, Worship, & Literature
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy