SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ( ૩૯૦ ) www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. પોતાના કાર્ય માટે વિધ્યાચળ તરફ જતા સુવિધાધર. હતા. તેવામાં ગ્રીષ્મ રૂતુના બહુ તાપને લીધે પેાતાના મ્હેલની અગાશીમાં કીર્ત્તિ સાગર રાજાની પાસમાં સુતેલી ભવનપતાકા તેના જોવામાં આવી. રાજા પણ ભરનિદ્રામાં પોઢેલે હતા, તેથી અનુકુલ અવસર જાણી સુંદર આકૃતિમાં આસક્ત થવાથી તે ભવનપતાકાનુ હરણ કરી ચાલ્યા ગયા. હવે પ્રભાતમાં રાજા જાગ્રત થયા અને પેાતાની પાસમાં આમ તેમ જોવા લાગ્યા પણ પેાતાની પ્રાણપ્રિયા જોવામાં ન આવી. તેથી પાસમાં રહેલા પરિજનને ભમર આપી અને સવત્ર શેાધ કરાયૈા, પરંતુ તેના તે સર્વ પ્રયાસ નિષ્ફળ થયેા. ત્યારે તેને વિચાર થયા કે આ એક મ્હાટું આશ્ચર્ય ગણાય ! કારણુ પ્રાદ્ધરિક લાકા જ્યાં આગળ રક્ષણ માટે ચારે તરફ ઉભેલા છે એવા આ સ્થાનમાં મનુષ્યના પ્રવેશ તે અશકયછે. માટે કાઇ દેવ અથવા વિદ્યાધરનું આ કાર્ય છે. માટે હવે અહી શું કરવું ? અથવા આપણે કંઇપણ ઉપાય કરવાની જરૂર નથી, કારણકે સંચાગ પણ ધ્રુવે કર્યાં હતા અને વિયેાગ પણ તેણેજ કર્યો છે માટે આ ચિતા તેને જ છે. વળી જેમ દુ:ખેા અચિત્ય આવી પડે છે તેમ સુખ સપત્તિએ પણુ અણુધારી આવી પડે છે. તેમજ પૂર્વા ંત દુ:ખ રેશકવાને કેણુ શક્તિમાન છે? સત્પુરૂષાનુ ચિત્ત તેમાં કઇપણ ચમત્કાર માનતુ નથી. એ પ્રમાણે પેાતાના હૃદયમાં સમજી સ્ત્રીના વિરહથી દુ:ખી એવા પણ તે રાજા પેાતાના પિરવારને શાંત કરી રાજય વ્યવસ્થા ચલાવવા લાગ્યું. એકદિવસ રાજા સભામાં બેઠા હતા, તેટલામાં સોંદય વખતે એક કાગડા વાવ્યદિશામાં કળેલા આંબાના વૃક્ષ ઉપર બેસીને કાયલની માફ્ક મધુર નાદવડે ખેલતા હતા. તે સાંભળો કાઇક કાયલી. For Private And Personal Use Only
SR No.008668
Book TitleSuparshvanath Charitra Part 1
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1924
Total Pages517
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari, Worship, & Literature
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy