SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાહડમંત્રી કથા. (૩૧૯) છે. બાલ્યાવસ્થામાં પણ કોઈને કુછી તે કોઈને વરગ્રસ્ત અથવા ક્ષય રેગી બનાવે છે. તેમજ કૅમાર અવસ્થામાં દરેક ઘરે ભિક્ષા માટે પરિભ્રમણ કરાવે છે. વળી વનરૂપી અરણયમાં પડેલા પ્રાણીને દુષ્ટ એવા કામરૂપ સાઁવડે દશ કરાવે છે. જેથી જીવાત્મા પિતાના આત્માનું ભાન પણ ભૂલી જઈ દુર્ગતિમાં વારંવાર રખડે છે. તેમજ વૃદ્ધ અવસ્થામાં શરીરે વળીયાં પડી જાય છે. મસ્તકના કેશ ધોળા થઈ જાય છે. અંગોપાંગ નમી જાય છે તેથી તે વૃદ્ધ માણસ તુબુદ્ધિવાળી યુવતિઓને હાસ્યકારક થઈ પડે છે. માટે સર્વ અવસ્થાઓમાં સમસ્ત પ્રાણુઓને કિંચિત માત્રપણુ સુખ નથી. પરંતુ સર્વજીને પ્રત્યક્ષ દુ:ખ જ દેખાય છે. માટે હે ભવ્યલોકો ! કર્મને ક્ષય કરવા માટે જેન ધર્મને સેવવામાં તમે નિરંતર ઉદ્યકત થાઓ. જેથી દરિયાદિક દુ:ખ રહિત મેક્ષ સુખ મેળવવા તમે શકિતમાન થશે. સમ્યક પ્રકારે જીવદયા પાળવી તે જ મુખ્ય ધર્મ કહેવાય છે. સત્ય ભાષા બોલવી વિગેરે તેના વિસ્તાર તકે ગણાય છે. હવે તે દયા સર્વ પ્રકારે પાળવાને જે અશક્ત હોય તેણે તે દેશ (અંશ) થી પણ પાળવી. વિસ્તારપૂર્વક ધર્મનું સ્વરૂપ સાંભળી નરેંદ્ર અને રાહડમંત્રી મુનીંદ્રને પ્રણામ કરી બોલ્યા, હે પ્રભો! પૂધર્મને સ્વીકાર. જેને કમવાર અમને સમ્યકત્વ તે મળેલું છે, માટે હવે કૃપા કરી દેશથી પ્રાણાતપાત વિરતિ વ્રત પણ અમને આપે. મુનીંદ્ર બેલ્યા, હે રાજન ! સુખેથી પ્રાણાતિપાત વ્રતને તમે સ્વીકાર કરે. પરંતુ એમાં બંધ, વધ, ચામડીને છેદ, બહુ ભાર અને ભેજન તથા પાણીને વિછેદ એ પાંચ અતિચાર વર્જવાના છે. ક્રોધાદિકને વશ થઈ કોઈ પણ સમયે તે અતિચારે સેવવા નહીં, તે સાંભળી રાજા, મંત્રી અને શ્રાવકોએ પ્રથમ વ્રત ગ્રહણ કર્યું. તેમજ બીજા કેટલાક લેકેએ For Private And Personal Use Only
SR No.008668
Book TitleSuparshvanath Charitra Part 1
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1924
Total Pages517
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari, Worship, & Literature
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy