SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાસ્કરવિપ્ર કથા. (૨૧૧) રના સન્મુખ આવી તેની આગળ બેઠી. કુમાર બલ્ય, હે સુંદરી! આમ ઉદ્વિગ્ન તું કેમ દેખાય છે! શું સ્વજન સંબંધીઓનું હને સ્મરણ થયું છે? કનકવતી બેલી, અહીં સ્વજનેનું શું કારણ છે! જ્યાં પિતાને પ્રાણપ્રિય મળે ત્યાં અરણ્ય પણ વસ્તીવાળું ગણાય અને જ્યાં પ્રિયપતિને વિરહ હોય તે ઉત્તમ સ્થાન પણ અટવી સમાન ગણાય છે. કુમારે જાયું કે આ સ્ત્રી વિકારમય વચને બેલે છે, માટે જરૂર આ નિઃસ્નેહી છે એમ એની વચન રચના ઉપરથી સ્પષ્ટ દેખાય છે. કારણકે કામચેષ્ટાને આધીન થએલા મનુષ્યોએ પણ સદ્ભાવ અને પ્રેમારૂઢ મનુષ્યને વિષે ઉપચાર કરાય છે. આ આચરણ એને અહીં ક્યાંથી થયું! વળી ઉપચારથીજ અન્ય લોકો ગ્રહણ કરાય છે. અને તેઓની શોભા તેમાં જ હોય છે. અન્યના ઉપર આસક્ત થએલા મનુષ્ય દ્વેષભાવ પ્રગટ કરે છે. માટે અહીં કોઈપણ હેતુ હવે જોઈએ એમ જાણ કુમાર ત્યાંથી ઉભો થયો, તે પ્રસંગે કનકવતીનાં નેત્ર નિદ્રાથી મીચાઈ ગયાં, એટલે કુમારે વનમાં પ્રવેશ કર્યો, ત્યાં તેને એક પુરૂષ મળે. તેણે ગુણરાજને પૂછયું, રાજ! અહીં કેઈ એક કુમાર આપના જોવામાં આવ્યા ! ગુણરાજ બલ્ય, તે કુમાર કેણ છે? પુરૂષ બોલ્યા, શ્રી વિજયચંદ્ર રાજાને પુત્ર ગુણચંદ્ર કુમાર બહુ પ્રસિદ્ધ છે, તેને પણ શું તમે નથી જાણતા? તેમજ તે પુરૂષ ફરીથી બોલ્યો, આજે કોઈક રાજકન્યા તેમની પાસે આવેલી છે તેથી તે મધ્યાન્હ સમયે અહીં આવેલા છે અને તેમછે મને કોઈ કાર્ય માટે અન્ય સ્થળે મોકલ્યો હતે. માટે હારે તને પૂછવાની જરૂર પડી. ત્યારબાદ ગુણરાજકુમાર કનકવતીનું ચત્રિ સમજી ગયે અને બે કે તે ગુણચંદ્ર તો પોતાનું મનેવાંછિત સિદ્ધ કરી પિતાના સ્થાનમાં ગયે. પશ્ચાત્ તે પુરૂષ બેત્યે, રાજકન્યાને તેને મેળાપ થયેકે નહીં? ગુણરાજ બે, મેળાપ એકલે નહી પરંતુ તેને પિતાના ભવનમાં તે લઈ ગયે For Private And Personal Use Only
SR No.008668
Book TitleSuparshvanath Charitra Part 1
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1924
Total Pages517
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari, Worship, & Literature
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy