SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦ શિવાય રહેતું નથી, અર્થાત મૃષાવાદના અંગમાં ચોરી રહેલી છે, કારણકે જળની અંદર રહેલો ઘટ જળનું હરણ કેમ ન કરે ? આ પ્રમાણે અનેક દૂષણેથી ભરપૂર એવા મૃષાવાદનો સર્વદા પરિહાર કરવો. આ મૃષાવાદની વિરતિ વિષે કમલશ્રેણીની કથા બહુ અસરકારક વર્ણવી છે, વળી મૃષાવાદ વિરતિમાં અકસ્માત કેઈને અવર્ણવાદ આપો, એકાંતમાં અન્યના ગુપ્ત વૃત્તાંતને જાહેર કરવું, પિતાની સ્ત્રી સંબંધી ગુપ્ત વાર્તા અન્યને જણુવવી, અસત્ય ઉપદેશ આપવો અને પરવચના માટે ફૂટલેખ લખવા એ પાંચ અતિચારેનું સ્વરૂપ ભુવન પતાકા, ધરણ, મદન, પદ્વવણિક અને બંધુદત્તના દ્રષ્ટાંતથી અનુક્રમે સ્કુટ રીતે વિવેચન કરવામાં આવ્યું છે. તેમજ મ્યુલ અદત્ત વસ્તુનું આદાન-ગ્રહણ કરવું તે ચૂલાદત્તાદાન એટલે ચૌર્યથી દૂર રહેવું. તે અદત્તાદાનવિરતિ વ્રત કહેવાય, હવે તે વૃત્તની રક્ષા માટે શુદ્ધ સમ્યકત્વધારી પુરૂષોએ પ્રમાદ સેવ નહીંકારણકે ચૌર્યવૃત્તિ આ લેકમાં વધ, બંધનાદિકનો હેતુ ગણાય છે અને ભવાંતરમાં પણ જેથી અનેક યાતનાએ ભેગવવી પડે છે, વળી તે સંબંધી શાસ્ત્રમાં પણ કહ્યું છે કે – यनिर्वर्तित कीर्तिधर्मनिधनं, सर्वागसां साधनं, प्रोन्मीलधबन्धन विरचित-,क्लिष्टाशयोद्बोधनम् । दौर्गत्यैकनिबंधनं कृतसुग-,त्याश्लेषसंरोधनं, प्रोत्सर्पत्प्रधनं जिवृक्षति न त-,द्धीमानदत्तं धनम् ॥ १ ॥ અર્થ—જે ચોરીનું ધન પ્રસિદ્ધ એવી કીર્તિ અને સંપત્તિને નાશ કરે છે, તેમજ સર્વ દુઃખોનું સાધન, વધ તથા બંધનને પ્રગટ કરનાર, કિલષ્ટ આશયને ઉત્પન્ન કરનાર, દુર્ગતિનું મુખ્ય કારણું, સુગતિ-મેક્ષ સુખના સમાગમને રોધ કરનાર અને સંગ્રામાદિકને ભય ઉપજાવનાર છે, તેવા અદત્તદ્રવ્યને ગ્રહણ કરવાની કયો બુદ્ધિમાન ઈચ્છા કરે ? અર્થાત કેઈએ ન કરવી જોઈએ. વળી પરધન હરણ કરવા કરતાં દિશાઓમાં પ્રસરતી અગ્નિની જવાલાઓમાં પ્રવેશ કરે શ્રેષ્ઠ છે, તેમજ કોપાયમાન શેષનાગની ફણુઓનું ચુંબન અને હાલાહલ વિષપાનમાં સાહસ બુદ્ધિ ઉત્તમ ગણાય. એમ સમજી અદત્તાદાનની રક્ષા ભવ્યાત્માઓએ અવશ્ય કરવી જોઈએ. જેથી ઉભય લેકની સિદ્ધિ થાય છે. એમ શાસ્ત્રમાં પણ સંભળાય છે કે For Private And Personal Use Only
SR No.008668
Book TitleSuparshvanath Charitra Part 1
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1924
Total Pages517
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari, Worship, & Literature
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy