SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૧૦) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. દંતપંક્તિની કાંતિરૂપ જળવડે પ્રક્ષાલિત હોયને શું? એવી નિર્મલ, તેમજ એક છતાં પણ અનેક જનેના સંશોને હરનારી સુર, નર અને તિર્યને સાધારણ સમજાય તેવી, મેઘ સમાન ગંભીર, સાંસારિક દુઃખોથી સંતપ્ત થએલા પ્રાણુંઓના સંતાપને શાંત કરનારી અને જન પ્રમાણ સંભળાય તેવી મધુરવાણી વડે સભામાં શ્રી સુપાર્વપ્રભુ જેટલામાં ધર્મદેશનાની તૈયારી કરે છે. તેટલામાં જગદ્ગુરૂની અતિ અદ્દભુત સમૃદ્ધિ જઈ વનપાલિકા બહુ વિસ્મિત થઈ સંભ્રમ સહિત શ્રીશેખર શ્રીશેખર નરેંદ્રની પાસે આવી, નરેંદ્રને પ્રણામ કરી નરેંદ્રગમન. હર્ષને લીધે રૂદ્ધકઠે વિનતિ કરવા લાગી, દેવ? આજે અપૂર્વ એક વધામણું છે, દેવેંદ્ર અને નરેદ્રોથી સેવાતા શ્રી સુપાર્શ્વપ્રભુ આપના ઉદ્યાનમાં આજે સાયંકાલે પધાર્યા છે. અને હાલમાં કાલેકવતિ સમસ્ત પદાર્થોને પ્રકાશ કરનાર, તેમજ સમગ્ર બાધ રહિત નિર્મલ કેવળજ્ઞાન તેમને ઉત્પન્ન થયું છે. પિતાના નિર્મલ યશવડે કાશ્યપ કુળજ એક ઉજવલ કર્યું છે, એટલું જ નહિ પરંતુ તેમણે સમસ્ત ત્રણે લેકને દીપાવ્યા. સ્વામિન્ ? આ તરફ અવલોકન કરે, કિલ્લાની આગળ ચતુર્વિધ દેનાં રત્નમયવિમાનેથી દેવપુરીની માફક આપની નગરી શોભી રહી છે. રાજાએ બહુ ભક્તિભારથી નમી ગએલા મસ્તકે હાથ જોડી પ્રણામપૂર્વક શકસ્તવનથી જીની સ્તુતિ કરીને વનપાલિકાને સાડાબાર લાખ સોનૈયા આપી વિદાય કરી. ત્યારબાદ પ્રતિહારને આજ્ઞા કરી કે નગરમાં મહોત્સવ કરાવે, તેમજ ગંભીર નગારાના ઘાષથી નાગરિક જનને સૂચના કરાવે કે જીનેદ્રને વંદન કરવા માટે ઉચિત શણગાર સજી તૈયાર થાઓ. પોતે પણ મદેન્મત્ત હસ્તિ, તુરંગ અને રથમાં આરૂઢ થએલા અંતઃપુર, કુમાર, સામંત અને મંત્રીઓ સહિત પ્રયાણની તૈયારી For Private And Personal Use Only
SR No.008668
Book TitleSuparshvanath Charitra Part 1
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1924
Total Pages517
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari, Worship, & Literature
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy