SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છૂટા થવાને મનોરથ કર્યા કરે છે. ભાવશ્રાવિકાઓ પણ તે પ્રમાણે Rાથા, इंदियचवल तुरंगे, दुग्गइमग्गाणु धाविरेनिञ्च । भाविय भवस्सरुवो, रुंभइसन्नाणरस्सीहि ॥ २ ॥ માવત્રાવને દ્વિતીય ગુણ: . ઈન્દ્રિ રૂપ ચંચળ અ દુર્ગતિ માર્ગ પ્રતિધાવનારા છે. સંસારના સ્વરૂપની ભાવના કરનારો ભાવશ્રાવક તે ઇન્દ્રિય રૂ૫ અને જ્ઞાનરૂપ રસીથી વશમાં રાખે છે. પશેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, છેતેન્દ્રિય એ પાંચ ઇન્દ્રિયનું સ્વરૂપ દ્રવ્ય અને ભાવથી સમજવું. નિવૃત્તિ અને ઉપકરણ એ બે ભેદ ઈન્દ્રિયોના થાય છે. નિવૃત્તિ એટલે આકાર તે બાહ્યથી વિચિત્ર હોય છે, વિષયનું ગ્રહણ કરવા સમર્થ હોય તે ઉપકરણેન્દ્રિય કથાય છે. કારણ કે નિવૃત્તિ રૂ૫ ઈન્દ્રિય છતાં ઉપકરણેન્દ્રિયને ઉપઘાત થયો હોય તે વિષયનું ગ્રહણ થતું નથી ઉપકરણેન્દ્રિય પણ બેન્દ્રિયન હિતાય ભેદ અવધો . ભાવેન્દ્રિયનું સ્વરૂપ તે આ પ્રમાણે છે. લબ્ધિરૂપ અને ઉપયોગરૂપતે તે ઇન્દ્રિયાવરણના પશમને જે લાભ થાય તે ભાવેન્દ્રિય લધિ જાણવી. તતતત ઈન્દ્રિયાવરણ પશમ રૂપ લાભની પ્રાપ્તિ થએ તે બેન્દ્રિયની પ્રાપ્તિ થાય છે. દરેક ઇન્દ્રિયો પિતા પોતાના વિષયને વ્યાપાર કરે તે ભાવેન્દ્રિય ઉપયોગ જાણો. ઇન્દ્રિયને એક વખતે એક ઉપયોગ હોય છે તેથી એક ઈન્દ્રિયવંડે જાણી શકાય છે માટે ઉપગના હિસાબે એકેન્દ્રિય હોય છે. ત્યારે દ્વીન્દ્રિય વગેરેના ભેદ કેમ પડે છે તેના ઉત્તરમાં જાણવાનું કે શેષ ઇન્દ્રિયની અપેક્ષાએ ના એકેન્દ્રિયાદિક ભેદ પડે છે. તેમજ લબ્ધિની અપેક્ષાએ સર્વે પંચેન્દ્રિય છે. જે માટે બકુલાદિકને શેપ ઈન્દિનો પણ ઉપલંભ જણાય છે. તેને તતતત ઇન્ડિયા રણક્ષપશમને સંભવ જણાય છે. પંચેન્દ્રિય મનુષ્યની પેઠે બકુલ વૃક્ષ વિષયને ઉપલંભ કરે છે છતાં બાહ્યબુદ્ધિના અભાવે તે પચેદિયગણાતું નથી. જેમ કુંભાર સુઈ રહયો હોય છતાં કુંભ બનાવવાની શકિતવાળો હોવાથી તે કુંભાર ગણાય છે તેમ તે બકુલવૃક્ષાદિ બાહ્ય ઉપાધના અભાવે લબ્બેન્દ્રિયની અપેક્ષાએ પંચેન્દ્રિય ગણુય છે. For Private And Personal Use Only
SR No.008660
Book TitleShravaka Dharma Swaroop Part 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages44
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy