SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩૨ શ્રાવક ધર્મ સ્વરૂપ. વૃદ્ધને અનુસરનારા મનુષ્યાની હથેલીમાં સંપદા આવે છે. વૃદ્ધેાપદેશ આગોાટ સમાન છે. વૃદ્ધપણાથી પ્રાપ્ત થએલ વિવેકરૂપ વ મનુષ્યામાં રહેલ મિથ્યાત્વાદિક પર્વતાને તેાડવા સમર્થ થાય છે. સૂર્યનાં કિરાતી માક વૃદ્ધ સેવાથી મનુષ્યાનું અજ્ઞાનરૂપ અંધકાર ક્ષણવારમાં વિલય પામે છે. વૃદ્ધસેવામાં તત્પર રહેનારા મનુષ્યા સઘળા વિદ્યામાં કુશળતા મેળવે છે અને વિનય ગુણમાં તેા અનાયાસે કુશળતા પ્રાપ્ત કરે છે. જ્ઞાન ધ્યાનાદિકથી રહિત છતાં પણ જે પુરૂષ વૃદ્ધને પૂજે છે તે સસારરૂપ અટવીને ઉહ્લધી જાય છે. તીવ્ર. તપ કરતા ચા અને સકળ શાસ્ત્ર ભણુતા થકા પણ જે વૃદ્દાની અવજ્ઞા કરે છે તે કશું કલ્યાણુ મેળવી શકતા નથી. લેાકમાં એવું કાષ્ઠ ઉત્તમ ધામ નથી, તથા જગમાં અખંડ એવું કેાઈ સુખ નથી, કે જે વૃદ્ધસેવા કરનાર મેળવી શકે નહીં. જેને પામીને મનુષ્યાની સ્વપ્રમાં પણ દુર્ગતિ થતી નથી તે બૃસેવા સદાકાલ વિજયન્તી રહેા. Acharya Shri Kailassagarsuri Gyanmandir વૃદ્ધ પોપટના ઉપદેશને જેમ જુવાન પોપટાએ નહાતા માન્યા તો તેથી તે જાળમાં ક્રૂસાયા અને અન્તે વૃદ્ધ પેાપટના ઉપદેશથી છૂટયા. તેમ ભવ્ય મનુષ્યાએ નાનાદિકમાં વૃદ્ધ એવા પુરૂષાની સલાહ તેમજ ઉપદેશને અનુસરી ચાલવું. તેવા વૃદ્દાની પાસે બેસી અનેક અનુભવાતી વાતા સાંભળવી, કેમકે તેવા વૃદ્ધ પુરૂષોની વાતેમાં અમૂલ્ય ઉપદેશ રહસ્ય રહ્યું છે. તેઓએ પેાતાની જીંદગીમાં જે જે અનુભા મેળવ્યા હોય છે તે સર્વે પ્રસગાપાત્ત જણાવે છે અને તેથી કાઇ વખત વિદ્યુની પેઠે સેવા કરનારાઓના મનમાં અસર થાય છે. દરેક બાબતમાં નાનદારા અનુભવ પામેલા વૃદ્ધેા જીવતા શા સ્રાની પેઠે મનુષ્યાને ઉપકાર કરે છે. દરેક કાર્ય કરવામાં લાભ અને અલાભ ા સમાયા છે તે વૃદ્ધ પુરૂષાની સેવાથી જાણવા મળે છે. વકીલની પરીક્ષામાં પાસ થતાં પણ જેમ અન્ય વકીલ પાસે રહી ધંધાને અનુભવ મેળવવું પડે છે તેમ દરેક વિધામાં હુંશિયાર થએલાને પણ તે તે કાર્યોમાં પરિપત્ર બુદ્ધિવાળા વૃદ્ધ પુરૂષોની સેવા કરવી પડે છે. જે કાર્યને જે પુરૂષા કરે છે તેઓ તે કાર્યના અનુભવી ગણાય છે, તેથી તે તે કાર્યના તેઓ વૃદ્ધ ગણાય છે. ચારિત્રની બાબતમાં પણ જેણે નાનપૂર્વક ચારિત્ર લેઈ પાળ્યું હોય છે, તેને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ પ્રમાણે ચારિત્ર સંબંધી પરિપકવ બુદ્ધિ ઉત્પન્ન થાય છે, તેથી તે ચારિત્રમાં વૃદ્ધ પુરૂષ ગણાય છે. ચારિત્ર સબધી અનેક પુસ્તકા વાંચીને પણ તેવા પુરૂષોની સેવા કરવાથીજ, પૂર્ણ અનુભવ મળે છે. દરેક બાબતામાં વૃદ્ધની સેવા કરનાર વિજયવંત નીવડે છે, તેથી વૃદ્ધાનુગ પુરૂષ અનેક ગુણાને ધારણ કરવા સમર્થ થાય તેથી તે ધર્મરત્નને યાગ્ય બને છે. અને For Private And Personal Use Only
SR No.008659
Book TitleShravaka Dharma Swaroop Part 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages44
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy