SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રાવક ધર્મ સ્વરૂપ. શહત્વથી થતા કુફાયદાઓ. શ પણાથી લુચ્ચાઇ, ઢાંગ, છળકપટ વગેરેની વૃદ્ધિ થાય છે. શાપણાથી જ્યાં ત્યાં લેાકામાં અપમાન થાય છે. શઠમનુષ્ય પોતાના સ્વાર્થને માટે ગમે તેવા મિત્રને પણ છેતરતા આંચકા ખાતા નથી. શમનુષ્ય નાતજાતમાં અગર સભાઓમાં પણ લુચ્ચાઇના લીધે માનનીય થઈ પડતા નથી. શહે મનુષ્ય ઉપરથી બહુ સારા લાગે છે પણુ પેટમાં પેસીને તે અન્ને પગ લાંબા કરે છે. શઠમનુષ્ય અન્યાને દુ:ખના ખાડામાં નાખે છે. શઠમનુષ્યતી વાણી મીઠી હોય છે અને હૃદય ઝેરી હાય છે. શઠમનુષ્યની વાણી સર્વત્ર જુદા જુદા પ્રકારની હોય છે અને મન જુદા પ્રકારનું હોય છે. તે કૃત્રિમપ્રેમ દેખાડીને અન્યના પ્રાણ, ધન, પ્રતિષ્ટા અને કાર્તિને ચુસી લે છે. ગમે તે અવસ્થામાં તે પોતે ઠરીને એસતા નથી અને અન્યાને ઠરીને બેસવા દેતા નથી. તે દેવ, ગુરૂ, મિત્ર, કુટુંબ, રાજ્ય વગેરે સર્વની સાથે શઠભાવે વર્તે છે, તેથી તે હૃદયની શુદ્ધિ કરી શકતા નથી. નિષ્કપટભાવ થયા વિના હૃદયની શુદ્ધિ થતી નથી અને હૃદયની શુદ્ધિ થયા વિના ખાદ્યધર્મની ક્રિયાઓ ઝેરની પેઠે ખરાબ ફળ આપનારી થાય છે. કપટથી ભક્તિ ફળતી નથી. કપટથી ગુરૂની સેવા ફળ આપતી નથી. કપટથી કાઈ મહાત્માના આશીર્વાદ ફળતા નથી. કપટથી ચારિત્રની સફળતા થતી નથી. કપટથી કાઈ મિત્ર બનતા નથી. કપટથી જ્યાં ત્યાં અવિશ્વાસનું સ્થાન બની શકાય છે. કપટથી ધર્મોપદેશશ્રવણુ પણ સમ્યક્ પણે પરિણમતા નથી. શઠતાથી અનેક મનુષ્યોની હિંસા થાય છે. શતાથી અનેક મનુષ્યાની આંતરડીએ દુ:ખવવામાં આવે છે અને તેથી તે ખરાબ આશીર્વાદને પામે છે. શઠતાથી સત્ય ખેલાતું નથી. શતાથી ચારી થાય છે. શઠમનુષ્યની ઉપરની શાન્તતા હિમના જેવી ધાણુ કાઢનારી થાય છે. શઠમનુષ્યની વાણી પ્લેગની પેઠે અશાન્તિ ફેલાવે છે. શતારૂપ અશુદ્ધ વિ ચારાથી પોતાના આત્માનેજ પ્રથમ છેતરવામાં આવે છે અને પોતેજ તેથી દુ:ખી થાય છે. શઠ મનુષ્યની હુશિયારીથી તેને તુર્તમાં કષ્ટ ગુણ દેખાય છે પણ વિષમિશ્રિત અન્નની પેઠે અન્તે તેને આત્મા ચારે તરફથી દુઃખાવડે ઘેરાય છે. મનમાં, વાણીમાં અને કાયામાં રહેલું શાપણું ભવેાભવ દુ:ખની પરંપરા લાવે છે અને અન્ય જીવાને પણ વેરઝેર વગેરેની ઉત્પત્તિ કરાવે છે, તેથી અન્ય છા પણ દુ:ખી થાય છે; માટે શતાના નાકના મેલની પેઠે ખરા અંતઃકરણથી ત્યાગ કરવા જોઇએ અને અશપણું ધારવું જોઇએ. ભાવથી થતા ફાયદાઓ. અશ મન, વચન અને કાયાથી ધારેલું અશપણું પેાતાના આત્માની નિ For Private And Personal Use Only ૧૫
SR No.008659
Book TitleShravaka Dharma Swaroop Part 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages44
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy