SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શિષ્યોપનિષદ, ૪૩. રીસ કરનાર, ગુરૂના હુકમને અનાદર કરનાર, ગુરૂના નામરૂપ પ્રેમ કરતાં પિતાના નામ રૂપમાં વિશેષ મમતા રાખનાર, ગુરુની સાથે ભેદ રાખનાર, ગુરૂની નિન્દા શ્રવણ કરનાર, ગુરૂ માટે બેદરકારપણું રાખનાર, શિષ્ય ખરેખર ગુરૂની આશાતના કરી શકે છે અને તેથી તે ગુરૂદેવની કૃપા તથા આશીર્વાદને પ્રાપ્ત કરી શકતો નથી. ગુરૂની આશાતના કરનારના અશુભ અવતારે થાય છે અને તે આત્માની ઉન્નતિ કરી શકતું નથી.. પૂર્ણપ્રેમ અને પૂર્ણશ્રદ્ધા તથા વિવેક વિના આશાતનાઓ ટળતી નથી. ” ६८ विषयासक्तः જે જડ વિષયમાં આસક્ત રહે છે તે વિષયને શિષ્ય બને છે, પરંતુ ગુરૂને શિષ્ય બની શકતું નથી. જેના મન પર વિષયવાસના હુકમ ચલાવે છે તે વાસનાને શિષ્ય છે. જેના પર મન હુકમ ચલાવે છે તે મનને શિષ્ય છે, પરંતુ ગુરૂને શિષ્ય નથી. જે વિષયેચ્છાને દાસ છે અને તે માટે ગદ્ધાવૈતરું કરે છે પણુ આત્મસુખ માટે ગુરૂની જે સેવા કરતા નથી તે ગુરૂને શિષ્ય વા ભક્ત બની શકતા નથી. ગુરૂનાં દર્શન અને ગુરૂવંદન કરવામાં જે બેદરકાર છે અને વિષયોની પ્રાપ્તિ કરવામાં જે ભગીરથ પ્રયત્ન કરે છે તે ગુરૂને શિષ્ય ભક્ત બની શકતું નથી. વિષયસુખની લાગણું કરતાં જેને ગુરૂના પર વિશેષ લાગણી નથી તે ગુરૂને શિષ્ય ગણુ નથી. પિતાની કીર્તિ નામરૂપને મેહ અને વિષયસુ માં મગ્ન બનીને જે ગુરૂની સંભાળ, ગુરૂનાં દર્શન, ગુરૂની ચાકરી કરતે. નથી અને ગુરૂ માટે જેને અંતથી વિશેષ લાગણી કાળજી નથી તે ગુરૂને શિષ્ય બનતું નથી અને શિષ્ય ગણવવા લાયક થતા નથી. જે ગુરૂ કરતાં અને વિશેષ સુખકારક માને છે તે હજી ગુરૂ કરવામાં સમજ્યો નથી તે ગુરૂને શિષ્ય તે કયાંથી બની શકે? ગુરૂપ્રતિ પિતાની ફરજો બજાવવામાં જે વિષયાસક્તિથી પરામુખ થઈ જાય છે તે ગુરૂને શિષ્ય બની શકતા નથી. ગુરૂ આગળ જે નામરૂપ મેહને ભૂલતો નથી તે ગુરૂને શિષ્ય બની શકતો નથી. ઝાડે જતાં, પેશાબ કરતાં, નહાતાં ધતાં જેને વખત મળે છે પણ જેને ગુરૂનાં દર્શન કરવા જતાં વખત મળતા નથી તે ગુરૂને ભક્ત, શિષ્ય, ઉપાસક બની શકતા નથી. વિષયાસક્તિથી જે ગુરૂના ઉપદેશની સામા થનારા હોય તથા ગુરૂને વિષયાસાિથી તુચ્છ માનનાર હોય એવા શિષ્યોને ગુરૂએ ત્યાગ કરવો જોઈએ. For Private And Personal Use Only
SR No.008657
Book TitleShishyopanishad
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages59
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy