SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શિષ્યોપનિષદ - - - १९ यथोचितद्रव्यक्षेत्रकालभावविद् ।। યથોચિત દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવને જ્ઞાતા જે હોય છે તે શિષ્ય બની શકે છે. ક્ષેત્રકાલ જે જ્ઞાતા છે તે વિવેકી બની શકે છે. દ્રવ્ય ક્ષેત્રકાલ ભાવના અનુસાર કેવી રીતે વર્તવું અને કેવી રીતે ન વર્તવું તેનો જે પૂર્ણ વિવેક સમજે છે તે ગુરૂને દક્ષશિષ્ય બની શકે છે. એક તરફ હજારે ગુણે હોય પરંતુ એક તરફ ક્ષેત્રકાલાદિની શુભતાનું અશુભતાનું જ્ઞાન ન હોય તે બધા ગુણે નકામા જેવા બની જાય છે. કેવા સ્વભાવવાળા મનુષ્યો છે તેનું જ્ઞાન કરનાર તથા કયા ક્ષેત્રમાં કેવી રીતે વર્તવું તેનું જ્ઞાન કરનાર, અવસરચિત, સ્વપર સુખમય પ્રવૃત્તિ કરી શકે છે અને તેથી તે ક્ષેત્રકાલાનુસારે ગુરૂની સેવાભક્તિ કરી શકે છે. ભક્ત વા શિષ્યમાં દ્રવ્ય ક્ષેત્રકાલ ભાવ જણને ગુરૂની સાથે સભ્યતાથી વર્તવાની શક્તિ આવે છે ત્યારે તે યોગ્ય શિષ્ય વા ભક્ત બની શકે છે. २० मैत्र्यादिभावनाभावितमतिः મૈત્રીભાવના, પ્રમોદભાવના, માધ્યસ્થ અને કારૂણ્ય એ ચાર ભાવનાઓ વડે જેની મતિ સંસ્કારી બની છે અને તેથી જે એ ચાર ભાવનાઓને આચારમાં મૂકીને વર્તે છે તે શિષ્ય થવાને લાયક ઠરે છે. સર્વ જીવોને સ્વમિત્ર સમાન માનનાર અને તે પ્રમાણે વર્તનારને આત્મા શુદ્ધ બને છે, તેના હૃદયમાં પ્રભુને વાસ થાય છે. વસ્તુતઃ સર્વ જી પિતાના આત્મ સમાન ગુણું છે. કર્મથી છવો શુભાશુભ પ્રવૃત્તિ કરે છે તેમાં કર્મનો દોષ છે માટે કોઈપણ છવપર વૈરભાવ-હિંસકભાવ ધારણ કરવાની જરૂર નથી. કોઈનું બુરૂ કરવાની ઈચ્છા કરવાની પણ જરૂર નથી. સર્વ જેનું શુભ વા અશુભ તેઓના કર્માનુસારે થયાં કરે છે. કર્મને સર્વત્ર સમાન ન્યાય છે. માટે કોઈ જીવ પર દ્વેષ શત્રુભાવ શા માટે ધાર જોઈએ ? પિતાના કર્માનુસારે શુભાશુભ થયા કરે છે તેમાં અન્યછ તે નિમિત્ત માત્ર બને છે, તેથી અન્ય જીવોપર શત્રુભાવ શા માટે ધારવો જોઈએ? એમ સુશિષ્ય સમજે છે અને તે કોઈ મનુષ્યને પર વૈર બુદ્ધિ ધારણ કરતું નથી. સર્વજીને તે મિત્રો તરીકે માનીને તેઓ પર મૈત્રીનું વર્તન રાખે છે. જે સજીવોના ગુણોને દેખી પ્રમોદ પામે છે, તે શિષ્ય થઈ શકે છે. ગુરૂ પર દષ્ટિરાગ થવા માત્રથી વા રાગને પરપોર્ટ પ્રકટવા માત્રથી કઈ સત્ય શિષ્ય બની શકતું નથી, કારણ કે પ્રમોદભાવના For Private And Personal Use Only
SR No.008657
Book TitleShishyopanishad
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages59
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy