SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિવેદન. પ્રખર પ્રતિભાશાળી અને જિનશાસન પ્રભાવક અનેક જૈનાચાર્ય મહારાજેએ સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં અનેક પ્રકરણ ગ્રંથ રચી ભવ્યઆત્માઓ ઉપર મહાન ઉપકાર કર્યો છે. જૈન શાસ્ત્રગત રહસ્યને સુગમતાથી જાણી આચરી જીવન વિશુદ્ધ બનાવી શકાય તે માટે વિપકારી અનેક આચાર્ય પુંગવેએ પ્રકરણોની રચના કરી છે. તે પ્રકરણો પૈકી શ્રી સતિશતસ્થાન પ્રકરણની રચના જીજ્ઞાસુ આત્માઓના બંધ માટે તપાગચ્છાધિપતિ શ્રીમાન સંમતિલકસૂરિજીએ કરી છે. શ્રી ધર્મશેષ સૂરિના શિષ્ય શ્રી સોમપ્રભસૂરિ થયા. તેઓના વિદ્વાન શિષ્ય સોમતિલકસૂરિ હતા. શીલતરંગીણી વૃત્તિના રચયિતા શ્રી સંમતિલકસૂરિ કરતાં આ આચાર્ય જુદા છે. તેમનો જન્મ વિ. સં. ૧૩પપ માઘ માસમાં, દીક્ષા વિ. સં. ૧૩૬૯ માં આચાર્યપદ ૧૩૭૩ માં અને સ્વર્ગ ગમન ૧૪૨૪ માં થયું. તેઓશ્રીએ કરેલા ગ્રંથ નિરમાણ!!–બૃહત્ નવીન ક્ષેત્રસમાસ, સપ્તતિશતસ્થાનપ્રકરણ અને અનેક સ્તુતિ સ્તોત્ર સંગ્રહ વિગેરે. આચાર્યશ્રી સર્વમાન્ય હતા. તે સમયમાં થયેલા વિદ્વાન આચાર્ય જિનપ્રભસૂરિજીએ પિતાના બનાવેલાં સાતસો સ્તોત્રો સેમતિલક સૂરિજીને સમર્પણ કર્યા હતાં વિશેષ એતિહાસિક બાબત અન્ય ગ્રંથિથી જાણી લેવી. For Private And Personal Use Only
SR No.008651
Book TitleSaptatishat Sthana Prakaranam Part 2
Original Sutra AuthorN/A
AuthorRuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages112
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy