SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જાય છે, પરંતુ તે સિદ્ધ થતી નથી અને સરાગદશાનું સંયમ પાળવાની ગ૭–સંઘાડા-ક્ષેત્રની સુવ્યવસ્થાથી ભ્રષ્ટ થઈ સંઘપરની સ્વસાધુસત્તાને ઉરછેદ કરે છે. હજામ અને ભંગીઆની કોન્ફરન્સમાં એકએકના ઉપર પડાપડી ન કરવી એ બાબત થ છે અને તે પ્રમાણે તેઓ વર્તે છે તે સંઘપર સત્તા ધારણ કરનારી સાધુકમ જે આ બાબતમાં કાંઈ વિચાર કરીને પરસ્પર એકબીજાના ક્ષેત્રે ઉપરની પડાપડીને ત્યાગ નહિ કરે તે સરાગસંયમ પાળવાની અને પ્રવર્તાવવાની સત્તાને ઉચ્છેદ થશે અને શ્રાવકે વગેરેને સુવ્યવસ્થાથી જે લાભ મળતું હશે તે બંધ થશે તેમજ પરિણામે સંઘસત્તાના સૂત્રમાં પરિવર્તન થવાથી અને સાધુઓમાં પરસ્પર થતી નિંદાદિક ખેદણીથી તેઓને સાધુપરને રાગ ટળી જશે. અતએવ પરસ્પર સંઘાટક-ગચ્છના સાધુઓએ પરસ્પરના ક્ષેત્રેપર પડાપડી નહિ કરતાં એક સુવ્યવસ્થાથી સલાહસંપ કેલકરાર કરીને વર્તવું જોઈએ કે જેથી વર્તમાનમાં તથા ભવિષ્યમાં એકબીજાના સંઘાડા-ગચ્છના સાધુઓની સત્તાને નાશ ન થાય અને શ્રાવકને સાધુઓની ગરજ રહે તથા “સાધુઓ પરસ્પર એકબીજાની ખિદણી કરનારા છે. ઈત્યાદિ ખેદ કરવાને-સત્તા સામે થનારા-શ્રાવકો વગેરેને અવકાશ ન રહે. આ બાબતને પરસ્પર સંઘાડા-ગચ્છના ઉપરી આચાર્યો વગેરેએ નિર્ણય કરી સલાહસંપ કરે જોઈએ. ગચ્છસંઘાડાની વ્યવસ્થાઓ સુધારવાને અને પરસ્પર લઘુવતું તેનું ઐકય કરવા માટે વખતસર પ્રયત્ન નહિ કરવામાં આવશે, તે અંતે એ પરિણામ આવવાનું કે પરરપર કલેશાદિ સંઘર્ષણમાં સાધુઓ, સાધ્વીઓ અને તેઓના પરસ્પર રાગી શ્રાવકે અને શ્રાવિકાઓનું અશુભમાગે આત્મવીર્ય For Private And Personal Use Only
SR No.008649
Book TitleSanghpragati Mahamantra
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages117
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy