SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૯૩) વામિપદ પ્રાપ્ત કરવાને અધિકારી બને છે. જૈન મહાસંઘની સેવા કરવાની અવસરઉચિતતા અવધ્યા વિના સેવાધર્મ સેવી શકાતું નથી. જે મનુષ્ય વર્તમાનકાળમાં મહાસંધની ઐયત કરવાના અનુભવને અવધે છે અને મહાસંધમાં જે વિચારે સર્વને એક સરખા માન્ય હોય અને તે પ્રમાણે સર્વને પ્રવત. વતાં સંઘને મોટે ભાગે પોતાને અનુકૂળ રહેશે અને તેથી વિરુદ્ધ વર્તાવામાં આવશે તે જૈન સંઘને હેટે ભાગ વિદ્ધ થશે–એવું જાણીને અનુકૂળ પડતા સુધારા વધારા કરવાના સમયોચિત ઉપાયને જે આદરે છે અને કટેકટીના પ્રસંગે લેશ-- માત્ર ગભરાયા-અકળાયા વિના નિવિકલ્પ અથત ચિંતા વિના પ્રવૃત્તિ કરે છે તે મહાસંઘને સેવક બનવાને અધિકારી બને છે. શ્રીચતુર્વિધ મહાસંઘના અંગભૂત ગચ્છાદિ મંડળની એકતા કરવાના ઉપાયનું જેને ભાન નથી અને તે પ્રમાણે વર્તવાની જેનામાં શક્તિ નથી તે ચતુર્વિધ મહાસંઘની એકતાના સ્થાને વિરાધતા પ્રગટાવીને સ્વ અને પરનું શ્રેય કરી શકતું નથી. શ્રી ચતુર્વિધ મહાસંઘના અંગભૂત ગાદિ મંડળની એકતા કરવામાં પ્રથમ જે જે વિચારે અને આચાર સર્વને એકસરખા માન્ય હોય અને તત્ સંબંધી જે જે સુધારાઓ કરવા ધાર્યા હોય તે એકસરખા સર્વને માન્ય હોય–તે બાબતેને આગળ કરીને સર્વની એક્તાના ઉપાયે સાધવા અને તે પ્રસંગે પરસ્પર ગાદિ મંડળની જેને વિરુદ્ધ માન્યતાઓ હોય અને જે માન્યતાઓ અને પ્રવૃત્તિના ગે પરસ્પર મતભેદ કલેશાદિની ઉદીરણા થતી હોય, એવા સંગ હેતુઓને દાબી દેવા અને પરસ્પરમાં વિરોધ પ્રકટાવે એવા એકતાના દ્રોહીઓથી સાવધ રહેવું. મહાસંઘની એકતા કરવામાં જે જે સંઘના અંગભૂત મનુષ્યના For Private And Personal Use Only
SR No.008649
Book TitleSanghpragati Mahamantra
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages117
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy