SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૧૩) શ્રદ્ધાવડે તમે તમારા આત્મિક કાર્યમાં પ્રવૃત્તિ કરજે. શાંત ચિત્તથી પ્રવર્ત જે. અપૂર્વ મહદયનું કારણ આ કાર્ય છે એમ સમજી તમે પ્રવર્તશે. તમારા આન્નતિના કાર્યમાં શનૈ, શનૈઃ કમવાર પ્રવૃત્તિ કરજે. તમને પ્રથમ તે આ કાર્યમાં પ્રવર્તવું અઘરું લાગશે. પણ દરરોજ પ્રયત્નમાં જેડાતાં તમારા કાર્યમાં તમને પ્રેમ થશે. અને જેમ જેમ તમને આત્મ સ્વરુપમાં પ્રેમ વધે તેમ તેમ જાણજે કે હવે સંસારથી દૂર થતું જાઉં છું, અને આત્મ સ્વરૂપ તરફ દોરાને જાઉં . તમને આત્માની પૂર્ણપણે પ્રતીતિ થતાં અનેક પ્રકારનાં બાહ્ય સંકટ પ્રાપ્ત થતાં તેનાથી તમે પિતાના સ્વભાવે અચલ રહી શકશે. તમે જેમ બને તેમ પુરૂષને સંગ કરશે. સત્ પુરૂની સંગતિથી તમે આમેદય ઉન્નતિમાં વિશેષ ચઢી શકશે, તમારૂ કાર્ય તમે સાવધાનતાથી સાધશે, તમારા કાર્યમાં વયેગથી વિક્ષેપ નડે તે પણ તમે સામાપુરે ચાલજે. આ કાર્યમાં પ્રવર્તતાં અસત્ પુરૂષો તમારી હાંસી કરશે. વા કહેશે કે તેને તે એક જાતની બ્રમણ થઈ છે. એમ કહેશે તે પણ તમે શંકાશીલ થશે નહીં. તમારૂ આત્મસ્વરુપ ધવની તારીની પિઠે અચલ છે, સત્ય છે, એક સ્વરૂપ છે, એમ શ્રદ્ધા કરજે. અનંત તીર્થંકર જે થયા, થાય છે, અને થશે તે પણ આત્મસ્વરૂપના ધ્યાનથી જ પરમાત્મ For Private And Personal Use Only
SR No.008645
Book TitleSamadhi Shatkam Ane Atmashakt Prakash
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagar
Publication Year
Total Pages342
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy