SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૯૦ ) અહે। અનુભવ તે તે અપૂર્વ મિત્રતાના હક્ક બજાવ્યા. તે સ વથી અલાકીક છે, કેમકે જેના ધર્મમાં નયના પણ પ્રવેશ નથી. એટલે નગમ, સંગ્રહ, વ્યવહાર, રૂજીસૂત્ર, શબ્દ, સમ ભિરૂઢ અને એવભૂત એ સાતનયથી દરેક વસ્તુનુ યથાર્થ પક્ષપાત રહીત સ્વરૂપ સમજી શકાય છે તેમ એ સાતન" યથી આત્માનું અનેકાંતપણે સ્વરૂપ સમજવામાં આવે છે પણ અનુભવજ્ઞાનમાં નય પ્રસરી શકતા નથી, તેમ નિક્ષેપા ચાર છે. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચાર નિશ્ચેષા પણ દરેક વસ્તુના જ્ઞાનમાં ઉપયોગી છે, તેમ આત્મજ્ઞાન થવામાં પણ ઉપયોગી છે. પણ તેમાં પૂસરતા નથી, તેમ વળી પ્રમા ના પ્રવેશ પણ જે સ્વરૂપમાં નથી, એટલે પ્રમાણથી તેના સ્વરૂપના નિર્ધાર થાય છે, પણ તે આત્મધર્માંમાં પ્રમાણ પણ પ્રવેશ કરી શકતું નથી, એટલે પ્રમાણ તે આત્મજ્ઞાન થવામાં પ્રથમ ઉપયોગી છે, પણ અનુભવજ્ઞાનમાં પ્રમાણુ પ્રસરતુ’ નથી. પ્રમાણના બે ભેદ છે, એક પ્રત્યક્ષ પ્રમાણ અને બીજું પક્ષ પ્રમાણ. આત્મા પાતે નિરાવરણ શુદ્ધ ક્ષાયીકભાવે થએલે જે ઉપયોગ તે થકી સર્વદ્રવ્યને જાણે તે પ્રત્યક્ષ પ્રમાણ જાણવું, જેમ કેવળજ્ઞાની ધર્માસ્તિકાય, અધાસ્તિકાય, આકાશાસ્તિકાય, પુગલાસ્તિકાય, જીવ અને કાળ એ છ દ્રવ્યને પ્રત્યક્ષપણે જાણે તથા દેખે તથા અવધિજ્ઞાની પુદ્ગલદ્રવ્યને પ્રત્યક્ષ જાણે તથા તથા દર્શનથી દેખે, અને મન:પર્યવજ્ઞાની અન્યજીવાની મ For Private And Personal Use Only
SR No.008645
Book TitleSamadhi Shatkam Ane Atmashakt Prakash
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagar
Publication Year
Total Pages342
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy