SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૭ ) લિ. તમારે બુદ્ધિસાગર યે ત્યાં શરીર વિના પણ શરીરમાંદુનિયાથી ત્યારે પણ તમારો ધર્મ નેહવિ. પ્રિય મહાત્મા .............ધર્મલાભને સ્વાદ અપૂર્વ આસ્વાદતા હશે. બુદ્ધિસાગરને કહેશે જણાવશે આપની સંયમ શકિતથી મેશ માર્ગ સન્મુખ સંચરી શકે. સંસ્કૃત અભ્યાસમાં પ્રવૃત્તિ કરે તે અપૂર્વ પંડિત થઈ શકે દેશદેશ. તડકામાં ફર્યા વિના વિદ્યાની પ્રાપ્તિ કરે તે હજારે જોના આધાર થઈ શકે. બાલ્યાવસ્થામાં વિદ્યા શીખી શકાય છે. જન્મીને કંઈ કર્યું નહીં તે જગ્યા શાના ? એકલા ફરવાથી શું આત્મહિત થઈ શકે? ભવ્ય મહાત્મા મારા જેવા તમને પ્રેમથી સંપૂર્વજ્ઞાન આપી શકે. ભવિષ્યમાં તેજસ્વી બને પણ શું કરું હું પરતંત્ર છું કે તમે, તે સમજાતું નથી. મબાપના તાબે રહેવું જોઈએ. જ્યારે તે અવસ્થા ત્યાગી તો પ્રથમ જ્ઞાનાભ્યાસ કરવે જોઈએ. નાર ગામમાં અન્ય સાધુઓ જે થયા છે તે ચેડા વરસમાં પ્રખ્યાત થશે તે પહેલાં તમે આગળ આવે એમ ઇચ્છું છું. અત્ર વ્યાકરણ વિગરે ભણવાની સર્વ સગવડ છે, બંધુઓ તમે સિદ્ધના સમાન છે. સર્વ કરી શકશો. હાલા મહાત્માઓ! ઉદ્યમ કરે. વિદ્યા વિનાનું જીવન પશુ સમાન છે. જ્ઞાન વિના કેળવણી પામેલા શ્રાવકે હવે સાધુઓને બાવાના કરતાં પણ બુરી દષ્ટિથી દેખે છે. તમે પણ જ્ઞાનાભ્યાસમાં લયલીન થાઓ. જ્ઞાનને માટે દેશ વેશને ત્યાગ કરે પણ જ્ઞાન લેવું. આપના હૃદયમાં જો કે આ વાત એટલી છે તે પણ લખી જણાવી છે. ................ને વ્યાકરણને અભ્યાસ શરૂ થઈ ગયું છે. તમે આગળ થાઓ. તમે સર્વ કરી શકે. પ્યારા બધુએ નિષ્કામ બુદ્ધિથી એટલું કહી ક્ષમા યાચી હવે હું આમ દયાનને વિચારમાં પ્રવેશ કરૂં છું. શ્રી For Private And Personal Use Only
SR No.008631
Book TitlePatrasadupadesh Part 3
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1926
Total Pages102
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy